SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૬૯ ધ્રુવસેન ૨ જાનાં ગાવાનાં તામ્રપત્રો સંવત ૩૨૧ ચૈત્ર વદ ૩ આ તામ્રપત્રેની બે જોડીએ રતલામ દરઆરની છે. તે મધ્ય હિંદુસ્તાનમાં રતલામ સ્ટેટના દિવાને ૧૯૦૨ ના ડિસેંબરમાં મારશલ અને કઝીન્સ સાહેબને ઘેાડા સમય માટે આપ્યાં હતાં. મી. મારશલે રતલામના દિવાનને એક પત્ર મને મોકલે હો તે ઉપરથી જણાય છે કે, રતલામની ઉત્તરે ૧૦ માઈલ પર ગાવામાં એક બ્રાહ્મણને કે તેના મકાન પાસે દુરસ્ત થતા હતા ત્યારે, ૧૮૯૧ માં, આ પતરાંઓ મળ્યાં હતાં. દરેક ખેડી બે તામ્રપત્રોની બનેલી છે. તે જોડી ઉપર એક મુદ્રા લગાડેલી છે. આ મુદ્રાની કડી ભાંગેલી અથવા કાપલી મળેલી છે. અને પ્રથમ કઈ ડીની તે હશે તે કહી શકાતું નથી. મુદ્રા લંબગોળ છે અને તેને વ્યાસ આશરે ર” અને ૨” માને છે. તેમાં ખાદેલી સપાટીમાં ઉપડતે જમણી બાજુ મુખ રાખી બેઠેલે એક નદી છે, અને તેની નીચે જીમ લખેલું છે. ઈ. સ. ૧૯૦૨-૩ ના એન્યુઅલ રિપોર્ટ ઓફ ધી આર્કેઓલોજીકલ સર્વે ઓફ ઈંડીમાં આ બેમાંનું બીજું દાનપત્ર (બી) પ્રતિકૃતિ સાથે પ્રસિદ્ધ કરી ચૂક્યો છું. પહેલું પ્રસિદ્ધ કરવા સાથે બીજાનું અક્ષરાન્તર પણ ફરી છાપું છું. કારણ કે બના દાનના ભાગે એક બીજા સાથે સંબંધ ધરાવતા હે એક બીજા ઉપર ઘણે પ્રકાશ પાડે છે. આ બી લેખનું અક્ષરાન્તર જે આંહિ બીજી વાર છપાયું છે, તે મી. કઝીન્સે તૈયાર કરેલી બે શાહીવાળી છાપ તથા રબિંગ ઉપરથી લખાયું છે. આ બિગ બહુ સુંદર છે, અને તેનાથી કેટલાક અક્ષરો મૂળને કાટ લાગવાથી શાહીવાળી છાપમાં અધૂરા દેખાય છે, તે સંપૂર્ણ દેખાય છે. આ બે પતરાંઓ છે. અને તેની અંદરની બાજુમાં જ લખાયું છે. પહેલા પતરાની લખેલી બાજુના નીચલે છેડે બે કડી માટે કાણાં છે. અને બીજાને મથાળે તેની સામાં તેવાં જ બે કાણું છે. છાપે ઉપરથી તે દરેક પતરાનું માપ આશરે ૯” ઉંચાઈ અને ૧૧” પહોળાઈનું લાગે છેઃ દાન જે સ્થળથી અપાયું તે સ્થળ, દાન લેનારા બે પુરૂષનાં વર્ણન, દાન દેવાયલી ભૂમિ વર્ણન અને તિથિ સિવાય લેખ “બી,' લેખ “એ ને લગભગ મળતા જ છે. વન્દિતપલીના વિજયી નિવાસસ્થાનથી દાન અપાયું હતું. એ સ્થાનને નિર્ણય થઈ શક્યો નથી. દાન લેનારા બે પુરૂષ ઉદુમ્બરગદ્દરથી આવેલા, અયાનકાગ્રતારનિવાસી, દશપુરને ત્રિવેદી, પારાશર ગેત્રને, માધ્યદિન-વાજસનેય શાખાવાળે અને બ્રાહ્મણું બુધસ્વામીને પુત્ર બ્રાહ્મણે દત્તવામી તથા બીજે અગરિતકાગ્રહાનિવાસી, ચતુર્વેદી, પારાશર ગેત્રને, વાજસનેય શાખાવાળા અને બ્રાહ્મણ બુધસ્વામીને પુત્ર બ્રાહ્મણ કુમારસ્વામી હપિ. દાન માલવકમાં, જણાવેલા વિભાગમાં, ચન્દ્રપુત્રક ગામમાં દક્ષિણ સીમા પર આવેલી એકસે ભક્તી ભૂમિવાળા ખેતરનું હતું. આ ક્ષેત્રની સીમાઃ પૂર્વમાં ધમહડુિકા ગામની હદ, દક્ષિણે દેવકુલપાટક ગામની સરહદ પશ્ચિમે મહત્તર વીરતરમણ્ડલિના ક્ષેત્ર( ખેતર)ની હદ ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય) ખૂણે નિર્ગડી નામનું ન્હાનું સરોવર : અને ઉત્તરમાં વિરતર મલીનું ક્ષેત્ર; દાનની તિથિ સંવત્ ૩ર૧, ચૈત્રકુષ્ણપક્ષ. ૩. દાન અપાયલા બે પુરૂષમાં પ્રત્યેક પુરૂષ બુધસ્વામીને પુત્ર, વાજસનેય શાખાવાળે, અને પારાશર ગેત્રને વર્ષ છે. આ સૂચવે છે કે તે બન્ને જણ એક જ પિતાના પુત્રો હતા અને હમ્બરગરથી આવેલા ” એવું જે પહેલા પુરૂષ માટે ( લી. ૪૧) આપ્યું છે તે બીજા પુરૂષને પણ એટલી જ સારી રીતે લાગે છે. પહેલે દાન લેનારે પુરુષ, અયાનકાગ્રહારમાં રહેતા અને ૧ એ. ઈ. ઓ. ૮ પા.૧૪ કે, ઈ. હુશ "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy