SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ મને રક્ષણ બહુ સંભાળ ૧ ૩૬૦ માં પ્રસિદ્ધ વશન બી નં. ૫૭ શીલાદિત્ય ૧ લાનાં તામ્રપત્ર સંવત ૨૦ ભાદ્રપદ વદિ ૮ નીચે આપેલો લેખ જે પતરાંઓ પર લખેલે હો તે પતરાંઓ કેટલાંક વર્ષ પહેલાં કાઠિયાવાડમાં ઢાંકમાંથી મળ્યાં હતાં, અને હાલ તે રાજકેટના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કર્નલ એલ, બારટન અને મેજર સી. એચ. વુડહાઉસે કૃપા કરી, મને છેડા દિવસ માટે તે પતરાંઓ આપ્યાં હતાં, અને ત્યાર પછી તે પૂનાની ગવર્નમેન્ટ ટેઝિકે ગ્રાફિક ઓફિસમાં મેકલ્યા હતાં, જ્યાં આ સાથે આપેલી પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. યુતરાંઓનું રક્ષણ બહુ સંભાળપૂર્વક કરેલું છે. અને હમેશનું ચિહ્ન તથા લેખવાળી મુદ્રા હજુ તે ઉપર છે. અક્ષરે, જ. . . . . ૧૧ પા. ૩૬૦ માં પ્રસિદ્ધ કરેલાં પતરાના જેવાજ છે. તે ઊંડા અને સારી રીતે કાપેલા છે. આમાં આવતી લખાણની ભૂલ તે જ વંશનાં બીજાં પતરાઓ કરતાં વધારે નથી. એક, ને બદલે ૪૪ ની ભૂલ સંરક્ત મળ રૂપને બદલે પ્રાકૃત લખવાથી થયેલી લાગે છે. દાનપત્રના પહેલા અથવા વંશાવળીના ભાગના શબ્દો શીલાદિત્યનાં પહેલાંના, સંવત ૨૮નાં શાસનોના શટને લગભગ મળતા આવે છે. તેથી તેમાં કંઈ નવીન હકીક્ત નથી. આમાં દર્શાવેલા વલભીના રાજાઓમાં -૧ ભટાર્ક, ૨ ગુહસેન, ૩ ધરસેન ૨ જે, અને ૪ દાન આપનાર શીલાદિત્ય ૧ ઉ ધર્માદિત્ય છે. ફકત એટલું જ જાણવા જેવું છે કે, ભટાર્કના ચાર પુત્રોનાં નામ છોડી દેનાર પહેલે રાજા શીલાદિત્ય છે, ઘણું કરીને કારણ એ છે કે તેના મંત્રીઓએ વાપરેલાં પતરાંઓ એટલાં બધાં નાનાં હતાં કે રાજાઓની સંપૂર્ણ નોંધ, તેઓ દરેકની આવશ્યક પ્રશંસાસહિત, તેમાં આવી શકે નહિ. બીજી રીતે, આ દાનપત્ર કેટલીક જાણવા જેવી બાબતે રજુ કરે છે, - પહેલું -સે વિનાયકવાર જીમખાનારાણવિદ્ એટલે, “ વલભીના દ્વાર આગળ ખુલ્લી જગ્યામાં આવેલા ફોન ઉપર અથવા અંદર નાંખેલી વિજયી છાવણીમાંથી,” લખેલું છે, અહિ વિચિત્ર “રા' શબ્દ જે દેશી જેવો લાગે છે તે કઈક મુશ્કેલી ઉભી કરે છે. આ શબ્દ બીજા કોઈ દાનપત્રમાં મેં જે નથી, અને તેના ચોક્કસ અર્થ વિષે વળામાં તપાસ કરતા કંઈ જા કર્યો નથીપરંતુ પૂર્વાપર સંબંધ ઉપરથી જણાય છે કે તે કઈ લશ્કરી રહેઠાણ, અથવા તે રાજાએ પિતાના તંબુઓ નાખેલા કેઈ બગીચા હશે. બીજું, દાન લેનાર ઘણાન–વકતનિવિદ-નાસ્થતિ–વા-“ હરિનાથે અર્પણ કરેલા અને બલવર્માનક–વટપદ્રની સીમામાં વસતા પૂજ્ય મહાદેવ” એ જાણવા જેગ છે-કારણ કે, જો કે બે અપવાદો સિવાય પિતાને પરમાર “મહેશ્વરના પરમ ભક” કહેવડાવતા વલભી રાજાઓના ઉકેલેલાં અને ઉકેલી શકાય તેવાં વીસેક પતરાઓ આપણી પાસે છે, તે પણ રાજાનું દાન લેનાર તરીકે કુળદેવને દર્શાવતું આ પહેલું જ દાનપત્ર છે. બીજાં બધામાં બ્રાહ્મણે અથવા બુદ્ધ ને દાન આપ્યાનું જણાવેલું છે. આ દાન ઉપરથી સાબિત થાય છે કે વલભી રાજાઓની શિવની ભક્તિ એકલા શા કરતાં વધારે પ્રકારની હતી. બ્રાહ્મણું લાગતા હરિનાથે જે સ્થળે લિંગ અર્પણ કર્યું હતું તે સ્થળ હું નક્કી કરી શક નથી. વટ હાલના ૧ ઈ. એ. જે. ૯ ૫, ૨૩૭૨૩૯ કે. જી. બ્યુહર "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy