SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગામ ગામ અને નગર નગર વિહાર કરતાં, ભવ્ય જીવોને પ્રતિબોધ કરવા, શ્રી સમરાદિત્ય મહર્ષિ અયોધ્યા પહોંચ્યાં, “શકાવતાર' ચૈત્યના એક વિશુદ્ધ ભૂમિ ભાગમાં તેઓએ વિશાળ મુનિ પરિવાર સાથે સ્થિરતા કરી. સાધ્વીવદ નગરમાં નગરશ્રેષ્ઠીની હવેલીમાં સ્થિરતા કરી. થોડા દિવસો પસાર થયાં. મધ્યરાત્રિનો સમય હતો. કેવળજ્ઞાની સમરાદિત્યના મન-વચન-કાયાના યોગ અત્યંત પ્રશસ્ત બન્યાં. તેઓએ પોતાના જ્ઞાનમાં જોયું હતું કે આયુષ્યકર્મની સ્થિતિ ઓછી છે અને વેદનીયાદિ બીજાં અઘાતી કર્મોની સ્થિતિ વધારે છે. તે કમ આયુષ્યકર્મ સાથે જ ભોગવાઈ જાય તે માટે “સમુદ્ધાત' ક્રિયાનો પ્રારંભ કર્યો. પહેલા સમયે પોતાના શરીર પ્રમાણ અને ઊર્ધ્વ-અધોલોક પ્રમાણ પોતાના આત્મપ્રદેશોનો દંડ કર્યો. ક બીજા સમયે આત્મપ્રદેશોને પૂર્વ-પશ્ચિમમાં કપાટરૂપે બનાવ્યા. છે ત્રીજા સમયે એ જ આત્મપ્રદેશોને મંથાનરૂપે બનાવ્યાં. ચોથા સમયે આંતરાઓ પૂરીને સંપૂર્ણ ૧૪ રાજલોકવ્યાપી બની ગયા. છે પાંચમા સમયે આંતરા સંહરી લીધાં. - છઠ્ઠા સમયે મંથાનને સંહરી લીધો. કે સાતમા સમયે કપાટને સંહરી લીધું. આઠમા સમયે દંડને સમેટી લઈ, આત્મા શરીરસ્થ બની ગયો. સમુઘાતની ક્રિયા પૂર્ણ કરીને, તેઓએ “યોગનિરોધ” શરૂ કર્યો. મન-વચનકાયાના યોગોના નિમિત્તે થતાં કર્મબંધનોનો નાશ કરવા માટે યોગનિરોધ કરવામાં આવે છે. આ ક્રિયા અંતર્મુહૂર્તકાળમાં કરવામાં આવે છે. સમરાદિત્ય મહર્ષિએ સર્વપ્રથમ બાદર કાયયોગના બળથી, બાદર વચનયોગને રોચ્યો. તે પછી બાદર કાયયોગના આલંબનથી, બાદર મનોયોગને રોચ્યો. તે પછી ઉચ્છવાસ-નિશ્વાસને રોપ્યાં, ત્યાર બાદ સૂક્ષ્મ કાયયોગથી બાદર કાયયોગનું રૂંધન કર્યું. તે પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચનયોગને રોચ્યો અને પછીના જ સમયે તેમણે મનોયોગનો નાશ કર્યો. તે પછીના સમયે સૂક્ષ્મ કાયયોગનો નાશ કર્યો. સૂક્ષ્મ કાયયોગને રોધવાની ક્રિયા કરતો આત્મા “સૂક્ષ્મ ક્રિયા-અપ્રતિપાતી' નામના શુક્લધ્યાનના ત્રીજા પ્રકારમાં પ્રવેશ કરે છે, અને તેઓ તેરમાં ગુણસ્થાનકના ચરમ સમયપર્યત ચાલ્યા ગયા. ભાગ-૩ ૪ ભવ નવમો 9899 For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy