SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ચારિત્રમોહનીય-કર્મનો ક્ષયોપશમ થાય. * સાધુધર્મ ગ્રહણ કરવા માટે, આત્મવીર્ય ઉલ્લસિત થાય. છતાં, ચારિત્રધર્મનો ઉપદેશ સાંભળવા છતાં, શ્રાવકના, ગૃહસ્થના હૃદયમાં સાધુધર્મ ગ્રહણ કરવાના ભાવ ઉલ્લસિત ન થાય, તો તેને અણુવ્રતો સમજાવે અને જો શ્રાવક અણુવ્રતો ગ્રહણ કરવા ઉલ્લસિત બને તો સાધુ મધ્યસ્થભાવ ધારણ કરી, પ્રશસ્ત ક્ષેત્રમાં, પ્રશસ્ત કાળે, અને પ્રશસ્તભાવથી એ શ્રાવકને અણુવ્રત આપે. આ વિધિપૂર્વક અણુવ્રત આપ્યાં કહેવાય.' ‘ભગવન, આપે ‘મધ્યસ્થ મુનિ’ એવો શબ્દપ્રયોગ કર્યો... એ વાત ના સમજાઈ. કોઈ શ્રાવક-શ્રાવિકા વ્રતધર્મ ગ્રહણ કરે ત્યારે મુનિ મધ્યસ્થ રહે કે પ્રસન્ન થાય?’ ‘મહાનુભાવ, જો સાધુધર્મ ગ્રહણ કરે તો સાધુ પ્રસન્ન થાય, પરંતુ અણુવ્રતો ગ્રહણ કરે તો મધ્યસ્થ રહે. ન રાજી થાય, ન નારાજ થાય, કારણ કે અલ્પ પ્રમાણમાં જ એ ગૃહસ્થ વ્રત લે છે... મોટા પ્રમાણમાં પાપ કરવાનાં ખુલ્લાં રાખે છે... તેમાં સાધુને રાજી શાને થવાનું? ગૃહસ્થ અણુવ્રત માગે છે. ને સાધુ મધ્યસ્થભાવ ધારણ કરીને, તેને વ્રત આપે છે, બસ, એટલું જ કરવાનું રહે છે.’ ‘ગુરુદેવ, ભલે, મધ્યસ્થ રહે વ્રત આપનાર સાધુ, છતાં ગર્ભિત રીતે અનેક પાપો કરવાની અનુમતિ ગૃહસ્થને નથી મળી જતી? પાપોનો ત્યાગ તો બહુ જ અલ્પ (અણુ) કરે છે.’ ‘હું ધનઋદ્ધિ શ્રાવક, એક ઉપનયથાથી, આ વાત તમને હું સમજાવું છું. કથાના માધ્યમથી ગહન તત્ત્વજ્ઞાન સમજવું સરળ બની જતું હોય છે... વસંતપુર નામનું નગર હતું. તે નગરના રાજાનું નામ જિતશત્રુ હતું. રાજા ન્યાયી હતો, પરાક્રમી હતો અને પ્રજાપ્રિય હતો. તે રાજાની રાણીનું નામ હતું ધારિણી, ધારિણી શીલવંતી નારી તો હતી જ, સાથે સાથે અનેક કલાઓમાં નિપુણ હતી. તેમાંય નૃત્યકળામાં એ બેજોડ હતી. પરંતુ એ રાણી માત્ર રાજાની આગળ જ નૃત્ય કરતી હતી. રાજા અને રાણી શતરંજમાં મશગૂલ થઈ ગયાં હતાં. જેઠ મહિનાનો અકળાયેલો વાયુ આચ્છાદનોમાં ફફડાટ બોલાવતો હતો. પાંજરામાં પુરાયેલા બુલબુલે અને દૂર ઉદ્યાનમાં બેઠેલી કોકિલાએ કૂજન કરવા માંડ્યું હતું. આછાં આછાં વસ્ત્રોમાં સજ્જ થયેલી સૌન્દર્યલતા જેવી રાણી એકાએક હર્ષાવેગથી ઉશ્કેરાઈ ગઈ. એ અચાનક ઊભી થઈ ગઈ... તેણે નૃત્ય આરંભી દીધું! એણે બાંધેલો ઊંચો અંબોડો જાણે કામદેવના શરટંકારની તૈયારી બતાવતો હતો. તેણે અંબોડામાં નરગીસ ને ગુલાબ ગૂંથ્યા હતાં. આંખોમાં કીમતી સુરમો આંજ્યો હતો અને પગની પાનીએ મેંદીનો રંગ લગાડ્યો હતો. ૧૪૪ For Private And Personal Use Only ભાગ-૩ ૪ ભવ નવમો
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy