SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્યારેય સમરાદિત્યને મળ્યો ન હતો, વાતો કરી ન હતી... માત્ર દૂરથી ક્યારેક સમરાદિત્યને જોતો હતો. જોતાંની સાથે પૂર્વજન્મોથી ચાલી આવતી વેરભાવના જાગી ઊઠતી હતી. જ્યારે સમરાદિત્યનાં, દીક્ષા સમયે બહુમાન થયાં, દેવોએ એમની પૂજા કરી. નગજનોએ અપૂર્વ નેહ વરસાવ્યો. ત્યારે દૂર ઊભો ઊભો, દરિદ્ર ગિરિપેણ વિચારે છે: આ નગરજનોની કેવી મુર્ખતા છે, કેવી મૂઢતા છે કે આ મૂર્ખ રાજપુત્રનું આવું મોટું બહુમાન કરે છે...! મારું ચાલે તો હમણાં જ આ દુષ્ટ કુમારને મારી નાખું... એ જલદી મારા લાગમાં આવતો નથી. એને પહેલી વાર જોયો હતો... ત્યારથી એને મારવાની પ્રબળ ઇચ્છા જાગી છે. એને મારી નાખીશ, ત્યારે જ મારા મનને શાંતિ થશે..” યુવરાજ સમરાદિત્ય હવે મુનિ સમરાદિત્ય બન્યાં હતાં. ગરિકા-નૃત્યાંગના સંદરી, હવે શ્રમણી સુંદરી બની, શ્રમણી વૃંદમાં ભળી ગઈ હતી. ગિરિર્ષણની ઇચ્છા ગિરિષણના મનમાં જ રહી ગઈ... અને આચાર્યશ્રી પ્રભાસે ઉજ્જૈનીથી વિહાર કરી દીધો. ૦ ૦ ૦ મુનિવર સમરાદિત્ય! ગુરુદેવ આચાર્યશ્રી પ્રભાસનાં ચરણોમાં રહી, વિનયપૂર્વક જ્ઞાન-ધ્યાનમાં પ્રગતિ સાધવાં લાગ્યાં. ગુરુદેવની પર્યાપાસના કરતાં અને જ્ઞાન-ધ્યાનમાં નિરંતર આત્મા વિશુદ્ધિ કરતાં, કેટલાંય વર્ષો વીતી ગયાં. કે પૂર્વજન્મોની આરાધનાના યોગે. વિશિષ્ટ ક્ષયોપશમના કારણે અને જ નિર્મળ બુદ્ધિ હોવાના લીધે, મુનિવર સમરાદિત્યે ૧૨ અંગોનું અધ્યયન કરી લીધું. શ્રમણજીવનની વિવિધ ધર્મક્રિયાઓ તેઓ અપ્રમત્તભાવે કરતાં રહ્યાં. ગુરુદેવે મુનિવર સમરાદિત્યને ઉપાધ્યાય-પદે સ્થાપિત કર્યા. તેઓને અનેક શિષ્યો થયાં. વાચક સમરાદિત્ય'ના નામે તેઓ વિશેષ પ્રસિદ્ધિ પામ્યાં. એક દિવસ તેઓએ અવધિજ્ઞાનના પ્રકાશમાં અયોધ્યાનું ‘શાવતાર' નામનું ચૈત્ય (દેરાસર) જોયું. પરમાત્મા ઋષભદેવની નયનરમ્ય પ્રતિમા જોઈ. અને તેઓએ શિષ્ય પરિવાર સાથે અયોધ્યા તરફ વિહાર કરી દીધો. જ્યાં જે ગામ-નગરમાં સ્થિરતા કરવી યોગ્ય લાગે છે ત્યાં એક મહિનો સ્થિરતા કરે છે. ૧૪૪ ભાગ-૩ + ભવ નવમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy