SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * અનશન વ્રત સ્વીકારી લીધું. * પૂર્વકાલીન દુષ્કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરી. * બંનેના ચિત્તપરિણામ વિશુદ્ધ બન્યાં. * સંવેગ-નિર્વેદ ભાવ પ્રબળ બન્યાં. * ભવસ્વરૂપના ચિંતનમાં પરોવાયાં. દેવે, પોતાના મૃતદેહને વિસર્જિત કર્યો અને તે સ્વસ્થાને ચાલ્યો ગયો. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા પુરુષસિંહનું ચિત્ત વિરક્ત થયું. વૈયિક સુખોનો રાગ ઓસરી ગયો, તેઓ બોલ્યાં. ‘તીર્થંકરોનાં વચન સાચાં છે. સમગ્ર ભવચેષ્ટાઓ ઇન્દ્રધનુષ્ય જેવી છે, માયાજાળ સદ્દેશ છે. આ લોકમાં ખરેખર, કલ્યાણમિત્ર મળવો દુર્લભ છે. કલ્યાણમિત્ર જે એકાંતે હિતકારી હોય છે એનાથી વધીને કોણ હિતકારી હોય છે. દુનિયામાં? જો એ જિનધર્મ શ્રેષ્ઠિપુત્ર કલ્યાણમિત્ર ન હોત તો એ બંધુલાને અને ધનદત્તને પ્રતિબોધ કોણ પમાડત? કલ્યાણમિત્ર જે હોય તે જ, આવા દુરાચારી બનેલાં સ્નેહી-સ્વજનો પ્રત્યે કરુણાભાવ રાખે. બીજા મિત્રો, ભલે સારા હોય, પણ દુરાચારી મિત્રોને ત્યજી દેતાં હોય છે. એમના પ્રત્યે ધૃણા કરતાં હોય છે. ન પોતાની પત્નીને, પોતાના મિત્ર સાથે વ્યભિચાર સેવતાં સગી આંખે જોવા છતાં, એ જીવો પ્રત્યે દ્વેષ ન થવો, વેરભાવ ન બંધાવો. ઉપરથી એ બંનેને પાપાચરણોથી મુક્ત કરી, ધર્માચરણ કરનારાં કરવાં... આ બધું કલ્યાણમિત્રમાં જ સંભવે. કલ્યાણમિત્ર આત્મદૃષ્ટા હોય છે. કર્મોના કાર્યકારણ ભાવોને જાણનાર હોય છે... ખરેખર કુમાર, એ બંધુલા અને એ ધનદત્તનો મહાન પુણ્યોદય હતો... કે એમને જિનધર્મ જેવો કલ્યાણમિત્ર મળ્યો હતો. જેમ અમને તું કલ્યાણમિત્ર મળ્યો છે.’ વત્સ, એ બંધુલાએ અને ધનદત્તે સ્વયં સર્વવિરતિમય ચારિત્રધર્મ સ્વીકારી, અનશન વ્રત કર્યું... જ્યારે એમનું આયુષ્ય પૂર્ણ થશે ત્યારે એ બંને ક્યાં ઉત્પન્ન થશે?’ ‘પિતાજી, પહેલા સૌધર્મ-દેવલોકમાં ઉત્પન્ન થશે.’ એ બંનેએ એમનાં જીવનમાં વ્યભિચાર જેવું ઘોર પાપ કર્યું હતું, આચરણ કર્યું હતું... છતાં મરીને તેઓ દેવલોકમાં ઉત્પન્ન થશે?’ ૧૩:૨ ‘પિતાજી, આપની વાત સાચી છે કે તે બંને ઘોર પાપી હતાં, પરંતુ તે ધોર પાપ કર્યાં પછી, એ બંનેએ એ પાપોનો ઘોર પશ્ચાત્તાપ કર્યો હતો. પિતાજી, પાપોનો પશ્ચાત્તાપ એવી પ્રબળ આગ છે કે એમાં, કરેલાં પાપો... પાપકર્મો હોમાઈ જાય છે... આત્મા પાપકર્મોથી મુક્ત બને છે... વિશુદ્ધ બને છે. એ બંનેનો પશ્ચાત્તાપ ઉગ્ર હતો. તે પછી તેમણે ચારિત્રધર્મ સ્વીકાર્યો અને અનશનવ્રત કરી લીધું. આ બધું ભાગ-૩ ભવ નવમો For Private And Personal Use Only લોકવિરુદ્ધ
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy