SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કામાંકુરે દૂર સુંદરીના મહાલયના ઘાટ તરફ નજર કરી. રતિસમી સુંદરી પાણીમાં પડી હતી. એની કમરે એકમાત્ર ઉત્તરીય વસ્ત્ર વીંટેલું હતું. સ્વચ્છ કાચ જેવા પાણીમાં સુંદરી સ્ફટિકની પૂતળી જેવી તરતી હતી. એના સફેદ દાંત હીરાનું તેજ વેરતાં હતાં. એના હાથ-પગનાં ગુલાબી તળિયાં એક નવું કાવ્ય રચતાં હતાં. ત્યાં સમરાદિત્યે વાંસળીના સૂર રેલાવ્યાં. કામાંકુર કંઈક ગીત જેવું ગણગણી રહ્યો હતો. તેણે ચારે તરફ નજર ઘુમાવી. એ કંઈક શોધી રહ્યો હતો. નદીતટ પરનાં પલાશ વૃક્ષોએ એની દૃષ્ટિને મોહી લીધી. કેસૂડાંના ફૂલ એને ગમી ગયાં. એ દોડ્યો. કેસૂડાં પર ચડવો, ફૂલોનો ઢગલો લઈને, તે નીચે આવ્યો. તેણે એ ફૂલોની બે માળા ગુંથી એક માળા પોતે પહેરી અને બીજી માળા લઈ તે ક્ષિપ્રાનાં જળમાં કૂદી પડ્યો. તરતો તરત એ આગળ વધ્યો. ફૂલની માળા સુંદરી તરફ વહેતી મૂકી. સુંદરીએ એ માળા પહેરી લીધી. એ ખરેખર, જળસુંદરી બની ગઈ.' લલિતાંગ અને અશોક પણ પાણીમાં તરવા લાગ્યાં હતાં. સમરાદિત્ય કાંઠે બેસી વાંસળીના સૂર વહાવતો હતો. એ સૂરો સુંદરીના કાન સુધી પહોંચ્યા. એની દષ્ટિ કુમાર તરફ સ્થિર થઈ ગઈ. એ જળપરીની જેમ પાણી પર તરી રહી હતી. એ તરતી તરતી રાજધાટ તરફ આવવા લાગી. વાંસળીના સૂરો તેને ખેંચી લાવતાં હતાં. સુંદરીએ સમરાદિત્યને જોયો.... સમરાદિત્યના રૂપ-લાવણ્યથી એ અતિ પ્રભાવિત થઈ. મંત્રમુગ્ધ બનીને... એ વાંસળી સાંભળતી રહી.. એને કુમાર પાસે જવાની તીવ્ર ઇચ્છા થઈ... પરંતુ તેના દેહ પર પૂરતાં વસ્ત્ર ન હતાં. તેની દૃષ્ટિ કુમારની દૃષ્ટિ સાથે મળી... તેણે સંકેતથી કુમારને આમંત્રણ આપી દીધું. ને તરતી તરતી એ પોતાના ઘાટ તરફ ચાલી ગઈ... કુમારનું વાંસળીવાદન ચાલતું રહ્યું. વસંતની સંધ્યાના સપ્તરંગો ખીલ્યાં હતાં. જળક્રીડામાં નિરત પશુઓ અને મનુષ્યો હજુ જળપ્રવાહમાંથી બહાર નીકળતા ન હતા. જળપ્રવાહ પર વાંસળીના સૂરોએ જાદુ પાથર્યો હતો. અંધારું ઉતરી આવ્યું. ત્રણ મિત્રો કિનારે આવ્યાં. વસ્ત્ર પરિવર્તન કર્યું. કામાંકુર તો કુમારને ભેટી જ પડ્યો.. “કુમાર, કેવું અદ્દભુત વાંસળીવાદન કર્યું! સ્વર્ગની અપ્સરાઓ પણ સાંભળવા ઉજ્જૈનના આકાશમાં સ્થિર થઈ ગઈ હશે!' સમરાદિત્યના મુખ પર સ્મિત રમી ગયું. તે ઊભો થયો. મિત્રો સાથે તે રાજમહેલ આવ્યો. “લલિતાંગ, જળવિહાર કરતી એ સ્ત્રી કોણ હતી?” એ સુંદરી હતી ઉર્જનની પ્રસિદ્ધ નૃત્યાંગના. કુમાર, હું આપને વાત કરવાનો જ હતો. આપ એક વખત એના મહાલયમાં પધાર. એની ચિત્રશાળામાં જે ચિત્રકામ છે, એ ખરેખર દર્શનીય છે. એનાં ગીત અને નૃત્ય પણ દર્શનીય છે. હું ગત રાત્રિ ૧૩% ભાગ-૩ + ભવ નવમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy