SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કરવા માટે સુતદારાનો ત્યાગ કરી, કેટલાય ધનવાનો મારાં પડછાયા પાછળ ભમે છે. અહોનિશ તેઓ મારી પૂજા, ધ્યાન ને સ્મરણ કરે છે. લલિતાંગ, રાજાનો એક કૃપાકટાક્ષ અને સુંદરીનો એક નેત્રકટાક્ષ સરખા મૂલ્યના છે. તારા એ મિત્ર-રાજકુમારે આજ દિન સુધી આ સુંદરીનો નેત્રકટાક્ષ ઝીલ્યો નથી ત્યાં સુધી જ એ વિરક્ત છે... એક જ વાર એને લઈ આવ અહીં, એના વૈરાગ્યના વાધા ઊતરી ગયા સમજ...' Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રીડાગૃહમાં હીંડોળાખાટ પર બેઠેલી સુંદરી, પાળેલા ગૃહમયૂરનાં પીંછાંને પંપાળતી હતી. મો૨ની વૈસૂર્યમાળા જેવી લાંબી ગ્રીવાને, પોતાની પદ્મ-મૃણાલ જેવી ડોકની આસપાસ નાખી રહી હતી. સામે જ ઠંડાં પાણીનો હોજ અત્તરમિશ્ર જળથી છલકાતો હતો અને કમળ૨જથી મહેકતો હતો. સુંદરીની કમર પર તે નિતંબ પર એક ઘેરા લીલા રંગનું સોનેરી ટપકીઓવાળું વસ્ત્ર કાવ્યની સુંદર પંક્તિઓ જેવું શોભતું હતું. ઘૂંટણ સુધીના પગ અને લાંબા મુલાયમ બે ગૌર હાથ તદ્દન ખુલ્લા હતાં. કામદેવના બાગસમી સુંદરી આવી સ્થિતિમાં ભાગ્યે જ કોઈને મળતી, કારણ કે એવી અવસ્થામાં, એના લાવણ્યને પીનારો બેહોશ બની જતો. છતાંય કોઈ કોઈના નસીબમાં આવી મુલાકાતનું મહાભાગ્ય જાગી ઊઠતું. ઉજ્જૈનીના મહામંત્રીનો પુત્ર લલિતાંગ આ મહાભાગ્યને પામ્યો હતો. જોકે આજે એ પોતાના રંગરાગ માટે નહોતો આવ્યો, આજે એ ઉજ્જૈનીના મહારાજ પુરુષસિંહે `પેલું કામ કરવા આવ્યો હતો. એ અવારનવાર સુંદરીના ભવ્ય આવાસમાં આવતો હતો... પરંતુ આજે માત્ર સુંદરીની અનુમતિ લેવા જ આવ્યો હતો કે ‘હું રાજકુમાર સમરાદિત્યને તારી પાસે લઈ આવું... તો તું એને તારા મોહપાશમાં જકડી... તારા રૂપની મદિરા પાઈને, તેને મદોશ કરીશ ને? મારે એને વિલાસી બનાવવો છે... મારે એને કામશાસ્ત્રમાં પારંગત બનાવવો છે... પછી એને કોઈ વિશ્વસુંદરીસમી રાજકન્યા સાથે પરણાવવો છે... મહારાજા પુરુષસિંહે મને આ કામ સોંપેલું છે...’ હોજનાં પાણી છલકાતાં હતાં. મયૂરને બાજુએ મૂકી, સુંદરી, સ્નાન કરવા આગળ વધી. વિરામાસન પર બેઠેલો, લલિતાંગ ઊભો થયો. તેણે પૂછ્યું: ‘કાલે રાજકુમારને લઈ આવું ને?’ ‘હા, લલિતાંગ! જો તારે તારા મિત્રને કામશાસ્ત્રમાં પારંગત બનાવવો હોય તો!' 9300 તેણે પાછળ ફરી, લલિતાંગ સામે અંગનૃત્ય રચ્યું અને તત્કાળ હોજના પાણીમાં ડૂબકી મારી દીધી, એના અંગનું લીલું સોનેરી વસ્ત્ર પાણી પર તરતું હતું ને સોનેરી માછલી જેવાં એના રમણીય અંગો પાણી ઉપર આવી આવીને અદશ્ય થતાં હતાં, લલિતાંગ વિદાય થયો હતો. For Private And Personal Use Only ભાગ-૩ ભવ નવમો
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy