SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘ધર્માચરણ કરવું પડે. એ સિવાય એ પાપકર્મોથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી.’ ‘ગુરુદેવ, આપની વાત યથાર્થ છે. હવે આપને પૂછું છું કે મેં પૂર્વજન્મમાં એવું કયું પાપ કર્યું હતું, જેનો આવો વિપાક-ઉદય આવ્યો? આપ અન્તર્યામી છો, સર્વજ્ઞસદશ છો, માટે મને મારા પ્રશ્નનું સમાધાન આપવા કૃપા કરો...' એ મહાપુરુષનું નામ હતું આચાર્યદેવ સુગૃહિત, અનેક જન્મોને તેઓ જોઈ શકતા હતા. તેમણે મારા નવ ભવ જોયા! ભૂતકાળના નવમા ભવથી તેમણે શરૂઆત કરી. ઉત્તરાપથમાં બ્રહ્મપુર નામનું નગર છે. એ નગરમાં વિદુર નામનો બ્રાહ્મણ અને પુરંદરયશા નામની એની પત્ની રહેતા હતાં. તું એ ભવમાં ચંદ્રયશા નામની પુત્રી હતી. વિદુર અને પુરંદરયશા ભલે બ્રાહ્મણ હતાં, પરંતુ એમની શ્રદ્ધા જિનધર્મ ઉપર હતી. તેઓ બંનેના કાળજે જિનવચનો લખાઈ ગયેલાં હતાં. તેઓ આત્મલક્ષી હતાં. આત્માનું અહિત થાય, તેવું એક પણ કાર્ય કરતાં ન હતાં. પરંતુ એમનાં મનમાં એક વાતનું દુઃખ હતું! પુત્રી ચંદ્રયશા (તું) એમની હિતકારી વાતો માનતી ન હતી. ધર્મની વાત ચંદ્રયશાના ગળે ઊતરતી જ ન હતી. આત્માના હિત-અહિતનો વિચાર એને આવતો જ ન હતો. તે છતાં માતા-પિતા અને પ્રસંગોપાત ઉપદેશ આપતાં અને અહિતકારી પ્રવૃત્તિ કરતાં એને રોકતાં હતાં. ચંદ્રયશાને તે જ નગરના યશોદાસ શ્રેષ્ઠીની પત્ની બંધુસુંદરી સાથે પ્રીતિ બંધાઈ. બંધુસુંદરીના વિચારો ધર્મથી સાવ વિપરીત હતાં... એની પાસે ખૂબ ધન હતું. એ કામભોગમાં આસક્ત રહેતી. એને મન સંસારસુખ જ સર્વસ્વ હતું. આત્માની કે પરલોકની વાતોને તે ગણકારતી ન હતી. ચંદ્રયશાની એ સખી બની ગઈ! એક દિવસ એના પિતાને ખબર પડી ગઈ કે. ‘ચંદ્રયશાને શ્રેષ્ઠીપત્ની બંધુસુંદરી સાથે મૈત્રી થઈ છે.' તેમણે ચંદ્રયશાને ખૂબ સમજાવી - ‘તું બંધુસુંદરી સાથે મૈત્રી ન રાખ. એના ઘરે જવાનું બંધ કર... તે છતાં જો તું મારી આ વાત નહીં માને તો તારું જીવન પાપમય બની જશે. તું મનુષ્યજીવન હારી જઈશ... તારો પરલોક બગડી જશે... મારું કર્તવ્ય તને હિતાહિતનું ભાન કરાવવાનું છે... તું અમને અતિ પ્રિય છે. એટલે કહીએ છીએ... છતાં તું નહીં જ માને તો છેવટે અમારે તારી ઉપેક્ષા કરવી પડશે...' શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only ૧૨૯
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy