SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજમહેલ ઇન્દ્રભવન બની ગયો હતો. આ સર્વત્ર હર્ષ... આનંદ અને ઉલ્લાસ વ્યાપેલો હતો. ગુણચંદ્રમાં ઘણાંબધાં મૌલિક ગુણો તો હતા જ. પરંતુ એને વિવિધ વિષયોનું જ્ઞાન-વિજ્ઞાન આપવા અને વિવિધ કલાઓ શીખવવા અનેક વિદ્વાનો, વિશારદો અને કલાકારોને રાજાએ રોક્યા હતાં. કુમારને જ્ઞાનપ્રાપ્તિની અને કલાપ્રાપ્તિની તીવ્ર જિજ્ઞાસા હતી જ, કે તેણે લેખન-વાંચન શીખી લીધું. ચિત્રકળા, નાટ્યકળા, ગીત અને વાદન શીખી લીધું. છે કાવ્યોમાં આર્યા આદિ છંદ શીખી લીધાં, માગધિકા, ગાથા, ગીતિ, લોક... વગેરે શીખી લીધાં. સ્ત્રી-લક્ષણ, પુરુષ-લક્ષણ, અશ્વ-લક્ષણ, ગજ-લક્ષણ વગેરે લક્ષણશાસ્ત્ર ભણી લીધું. છે. ચંદ્રચાર, સૂર્યચાર, રાહુચાર, ગ્રહચાર વગેરે જ્યોતિષ અંગેનું જ્ઞાન-વિજ્ઞાન મેળવી લીધું. જે વિદ્યાઓ અને મંત્રોનાં રહસ્ય જાણી લીધાં. જ બૃહ, પ્રતિબૃહ, લશ્કર, છાવણી, નગરનિર્વશ... વગેરે જાણી લીધું. છેખાસ કરીને અપશિક્ષા અને હસ્તીશિક્ષા શીખી લીધી. હિરણ્યવાદ, સુવર્ણવાદ, મણિવાદ, ધાતુવાદ જાણી લીધા. બાહુયુદ્ધ, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, મલ્લયુદ્ધ વગેરે તમામ પ્રકારનાં યુદ્ધોમાં નિપુણતા પામી લીધી. - ધાન્યકળા અને ભોજનકળા પણ શીખી લીધી. તેણે અધ્યયનકાળમાં અધ્યયન જ કર્યું. તેણે દુનિયાની કોઈ કળા બાકી રાખી ન હતી, પરંતુ તેને અતિ પ્રિય હતી ચિત્રકળા! અને ગીત-સંગીતની કળા: રક રક શ્રી સમરાદિત્ય મહાકથા 9996 For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy