SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org * એવું કોઈ કારણ નથી હોતું એમને, કે જેથી તેઓને અપવાદપદનું સેવન કરવું પડે. Acharya Shri Kailassagarsuri Gyanmandir * તેઓ આંખનો મેલ પણ દૂર ના કરે, * દિવસના ત્રીજા પ્રહ૨માં આહાર-વિહાર કરે. શેષ સમયમાં તેઓ કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહે. * પગની શક્તિ ક્ષીણ થઈ જાય, વિહાર ના કરી શકે તો એક જ ગામમાં રહે. છતાં સાધુધર્મમાં દોષ ના લાગવા દે. પોતાના જિનકલ્પનું બરાબર પાલન કરે.' જિનકલ્પનો સ્વીકાર કરવા પૂર્વે, આચાર્યદેવે કહ્યા મુજબ સેનમુનિએ વિશિષ્ટ જીવન જીવવા માંડ્યું. આચાર્યદેવનું પૂરું ધ્યાન એમના ઉપર હતું. જોકે આચાર્યદેવને વિશ્વાસ હતો કે સેનમુનિ ‘જિનકલ્પ'નું ઉચ્ચતમ સાધકજીવન જીવવા માટે સક્ષમ છે, યોગ્ય છે, સમર્થ છે. એટલે જ પૂર્વતૈયારી કરાવતાં હતાં તેમની પાસે, જ્યારે સેનમુનિની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ. આચાર્યદેવે પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જોઈને, સકળ સંઘને ભેગો કર્યો. પોતાનાં સર્વે સાધુ-સાધ્વીને ભેગાં કર્યાં. આચાર્યદેવે ધીરગંભીર સ્વરે કહ્યું: ‘હે મહાનુભાવો, સ્થવિરકલ્પ અને જિનકલ્પ - બંને કલ્પ સાધુઓ માટે છે. બંને કલ્પોનું પ્રતિપાદન શ્રી તીર્થંકર ૫૨માત્માએ કરેલું છે. અર્થાત્ જિનકલ્પનું સાધુજીવન અને સ્થવિરકલ્પનું સાધુજીવન - બંને પ્રકારનાં જીવન તીર્થંકરદેવે બતાવેલાં છે. બંને પ્રકારનાં જીવનથી મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. બંને જીવન વચ્ચેનું અંતર મુખ્યતયા એક છેઃ જિનકલ્પનું સાધુજીવન માત્ર ઉત્સર્ગમાર્ગનું અવલંબન લે છે. જિનકલ્પનું સાધુજીવન, અપવાદમાર્ગનું અનુસરણ કરતાં નથી. મહાનુભાવો, આપણા સાધુસમુદાયમાં એક શ્રેષ્ઠ મુનિવર છે સેનમુનિ! નવપૂર્વેનું એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને ‘જિનકલ્પ’ સ્વીકારવા પૂર્વે એમણે પૂરી તૈયારી કરી લીધી છે. આજના શુભ દિવસે તેઓ ‘જિનકલ્પ' અંગીકાર કરે છે. તે પૂર્વે, તેઓ ક્ષમાપના કરશે સહુ સાથે, તે પછી આપણે ક્ષમાપના કરીશું.' સૈનમુનિએ સહુ સાથે ક્ષમાપના કરતાં કહ્યું: 'जई किंचि पमाएणं न सुठु मे वट्टियं मइ पुव्विं । तं भं खामेनि अहं निस्सल्लो निक्कसओ अ ।। ' ‘હે ગુણીજનો, નિઃશલ્ય અને નિષ્કષાય બનીને, પૂર્વે પ્રમાદથી જે કંઈ તમારા પ્રત્યે ખરાબ કર્યું હોય, તેની હું ક્ષમા માગું છું.’ ૧૧૫૪ ભાગ-૩ ૪ ભવ સાતમો For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy