SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નીચાં પડે છે ત્યારે... ૫૨માધામીઓ વાઘ-સિંહના રૂપ કરી તે જીવોને ચીરી નાખે છે' આચાર્યદેવે રાજાને કહ્યું: ‘રાજન, નરકનાં દુઃખોનું આ વર્ણન તો મેં સંક્ષેપમાં કર્યું છે. વિસ્તારથી કરીએ તો એનો અંત જ ના આવે.’ Acharya Shri Kailassagarsuri Gyanmandir જેવી રીતે નરકનાં દુઃખો છે, તેવી રીતે તિર્યંચગતિનાં પણ અસંખ્ય દુઃખો છે. જેને ‘નિગોદ’ કહેવામાં આવે છે, ત્યાંની અવ્યક્ત વેદના પાર વિનાની હોય છે. એ સિવાય, એકેન્દ્રિય જીવોથી માંડીને સંજ્ઞી પંચેન્દ્રિય પશુ-પક્ષીઓ અનેકવિધ દુ:ખોવેદનાઓ સહતાં હોય છે. જે જીવો પાંચ પ્રકારના પ્રમાદને સેવતાં હોય છે, તે જીવો આવી વેદનાઓ સહતાં હોય છે. ૧. વધુ પડતી નિદ્રા લેવી, તે પ્રમાદ. ૨. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ, તે પ્રમાદ. ૩. ક્રોધ, માન, માયા અને લોભ, એ પ્રમાદ. ૪. આળસ, નિંદા વગેરે પ્રમાદ છે. ૫. મદ્યપાન પણ પ્રમાદ છે. ત્રણ ભુવનના નાથ તીર્થંકર ભગવંત કહે છે કે જો તમારે સાચું સુખ જોઈતું હોય તો આ પ્રમાદોનું સેવન ના કરશો. * ઝેર ખાવું પડે તો ખાઈ લેજો. * વ્યાધિ સહન કરવી પડે તો કરી લેજો. * અગ્નિમાં પડવું પડે તો કૂદી પડજો. * શત્રુ સાથે રહેવું પડે તો રહી જજો. * સર્પની સાથે રહેવું પડે તો રહી જજો. પરંતુ પ્રમાદ ના કરશો. ઝેર વગેરે તો આ જીવનને હરી લે છે જ્યારે પ્રમાદ તો આ લોક અને પરલોક-બંનેને બગાડનાર છે. રાજન, પ્રમાદને પરવશ મનુષ્ય, ક્યારેક આ લોકના વર્તમાન જીવનના સ્વાર્થોનો પણ વિચાર નથી કરતો, ભવિષ્યકાળનાં નુકસાનોનો વિચાર નથી કરતો, અને ન કરવાનાં કાર્યો કરી બેસે છે. આ જીવનમાં દુઃખી, દરિદ્ર બને છે, અથવા રોગીપરવશ અને અશાન્ત બને છે. * પ્રમાદને પરવશ બનેલો જીવાત્મા, લાભ-ગેરલાભનો વિચાર કરી સકતો શ્રી સુગરાદિત્ય મહાકા For Private And Personal Use Only ૧૧૩૩
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy