SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને વિશ્વપુરના મહેલમાં રહીને આનંદ-પ્રમોદ કરે.' દૂતને મુક્તપીઠની વાત સાંભળી, ભયંકર ગુસ્સો આવ્યો. તેણે કહ્યું: “રાજન, કુમાર સાથે શત્રુતા કરીને, તમે પરલોકે જલદી જવા ચાહો છો, એમ મને લાગે છે! નહીંતર કોઈ સેનકુમારનો અનાદર કરે નહીં!' દૂત તરત જ ત્યાંથી નીકળીને, કુમારની છાવણીમાં આવી ગયો. કુમારને ખાનગીમાં મુક્તપીઠનો જવાબ કહી સંભળાવ્યો. પોતે જે વચનો સંભળાવ્યાં, એ પણ કહી સંભળાવ્યાં. દૂતના મુખે રાજાનો વિરસ પ્રત્યુત્તર સાંભળી, કુમારના હૃદયમાં ભયાનક કોપાનલ સળગ્યો. તેનું વદન સ્વાભાવિક સૌમ્ય હતું, પરંતુ દૂતની વાત સાંભળી પ્રલયકાળના પ્રતિબિંબ જેવું દુખેશ્ય બની ગયું. ભૂકુટિ ખેંચાઈ ગઈ. હાથ થરથર કંપવા લાગ્યાં, તેણે જમીન પર હાથ પછાડીને, અમરગુરુને કહ્યું: “એ દુષ્ટ રાજાને સજા જ કરવી પડશે. સૈન્યને કહો કે આવતી કાલે પ્રભાતે યુદ્ધ નક્કી છે. વહેલી સવારે સેનાનો ગરુડબુહ' રચી દે. સૂર્યોદય થતાં જ યુદ્ધ શરૂ કરવાનું છે.' અમરગુરુએ સેનાપતિ દ્વારા સેનાને યુદ્ધની જાણ કરી. સૈનિકો ખૂબ પ્રસન્ન થયા. સેનાપતિએ ગરુડબૂહ ગોઠવવા માટે જગ્યાની તપાસ કરી. તેણે માનસપટ પર બૂહ ઘડી નાખ્યો. રાજા મુક્તાપીઠ પાસે એની પોતાની સેના ૨૫ હજાર સૈનિકોની જ હતી. ચંપાની સેનાએ કુમાર સામે લડવાની સાફ ના પાડી દીધી હતી. એ સૈનિક નગરમાં બળવો ના કરે તે માટે સંનિકોની વસતીને ચારે બાજુ પોતાના સૈનિકોનો પહેરો ગોઠવી દીધો હતો. પ્રજાને જ્યારે ખબર પડી કે સેનકુમાર ૫૦ હજાર સૈનિકોની સેના લઈને પિતૃરાજ્ય પાછુ લેવા સીમાડે આવી પહોંચ્યો છે, તો પ્રજામાં આનંદનું મોજું ઊછળ્યું. સેનકુમારે સ્વયં યુદ્ધક્ષેત્રનું અવલોકન કર્યું. શત્રુસેનાનો વ્યુહ જાણી લીધો. બધી જ પૂર્વતૈયારી કરી લીધી. રાત્રે પલ્લીપતિ વગેરેએ પોતાના સાથીદારો સાથે મંત્રણાઓ કરી. પછી એક પ્રહર નિદ્રા લીધી. વહેલી સવારે ઊઠીને, આવશ્યક ક્રિયાઓ પતાવી, તેણે દેવ-ગુરુનું સ્મરણ કર્યું, અને પોતાના અશ્વ પર આરૂઢ થયો. તેના એક હાથમાં તલવાર હતી, બીજા હાથમાં ધનુષ્ય હતું. ખભે તીરોનો ભાળ્યો હતો. કમર પર તીક્ષ્ણ કટારીઓ હતી. કુમારે સેનાપતિપદ પલ્લી પતિને આપ્યું. સવારે તેણે અડધું જ અશ્વદળ અને અડધું પાયદળ યુદ્ધમાં ઉતાર્યું. અડધી સેના કુમારે પોતાની સાથે રાખી. ત્રણ દિશામાંથી શ્રી સમરાદિત્ય મહાકથા ૧૧૧૭ For Private And Personal Use Only
SR No.008952
Book TitleSamaraditya Mahakatha Part 3
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages491
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy