SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અદ્ભુત રૂપ કરુણાભીના નયન. મુખ પર સૌમ્યતા... પ્રસન્નતા... શીતળતા... અમે સૌએ ભાવપૂર્વક વંદના કરી. “ધર્મલાભ!' મુનીશ્વરનો ધીર-ગંભીર આશીર્વાદ મળ્યો. અમે વિનયપૂર્વક એમની સામે બેઠા. તેઓએ મધુર વાણીમાં કહ્યું : નરેન્દ્ર, તમે પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યનું ફળ ભોગવી રહ્યા છો. ધર્મથી પુણ્યકર્મ સંચિત થાય છે અને પુણ્યકર્મથી સુખનાં સાધન મળે છે. વિદ્યાધરેન્દ્ર, આ જન્મમાં પણ જો તું ધર્મને જીવનમાં સ્થાન આપીશ તો આગામી જન્મોમાં સુખ પામીશ.' મેં કહ્યું : “ભગવંત, મને ધર્મ સમજાવો.” મુનીશ્વરે કહ્યું : “સર્વજ્ઞ વીતરાગ તીર્થકર જ મારા પરમાત્મા છે, મહાવ્રતધારી નિર્ગથ સાધુપુરુષો જ મારા ગુરુ છે. અને સર્વજ્ઞભાષિત ધર્મ જ મારો ધર્મ છે.” આવી શ્રદ્ધા તારા હૃદયમાં પેદા થવી જોઈએ, પ્રીતિ પેદા થવી જોઈએ.” મુનીશ્વરે અમને વિસ્તારથી પરમાત્મસ્વરૂપ સમજાવ્યું, સાધુપુરુષોનું સ્વરૂપ સમજાવ્યું અને ધર્મનું સ્વરૂપ સમજાવ્યું. મેં કહ્યું : “ભગવંત, મને અણુવ્રતો આપો. હું અત્યારે અણુવ્રતો પાળી શકીશ.” મારી સાથે વસુભૂતિએ પણ અણુવ્રતો સ્વીકાર્યો. મારા હૃદયમાં અપૂર્વ હર્ષ થયો. મેં મુનીશ્વરને પૂછયું : “ભગવંત, મારા આ જીવનમાં મને અનેક વાર વિલાસવતીનો વિરહ કેમ થયો? અને પૂર્વજન્મમાં મેં એવો કર્યો ધર્મ કરેલો કે જેના ફળસ્વરૂપે મને આ વિદ્યાધરોનું રાજ્ય મળ્યું?' મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન - આ ચાર જ્ઞાનના ધારક વિદ્યાધર મુનીશ્વરે મને મારા પૂર્વજન્મની માનસયાત્રા કરાવવાનો પ્રારંભ કર્યો. “આ જ ભારતમાં “કાંપિલ્યપુર” નામનું નગર છે. વર્ષો પૂર્વે ત્યાં “ચંદ્રગુપ્ત' નામનો રાજા હતો. રાણીનું નામ હતું જગસુંદરી. તેમને એક પુત્ર હતો. તેનું નામ હતું રામગુપ્ત. એ રામગુપ્ત એ જ તું. અને આ વિલાસવતી, પૂર્વજન્મમાં ઉત્તરાપથના રાજા તારપીડની હારપ્રભા' નામની પુત્રી હતી. હારપ્રભા સાથે તારાં લગ્ન થયાં હતાં. હારપ્રભાનો તારા પર અત્યંત સ્નેહ હતો. નિષ્કપટ નેહ હતો. એ જ રીતે તારો હારપ્રભા ઉપર અનહદ પ્રેમ હતો. તમે તમારા યૌવનકાળમાં ભરપૂર વૈષયિક સુખો ભોગવતાં હતાં. શ્રી સમરાદિત્ય મહાકથા ૮૩ For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy