SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલે અમારા મહારાજાની સાધના પૂર્ણ થશે. તેઓ બધાને મળશે. ત્યારે હું તેઓની આજ્ઞા લઈ, બીજા વિદ્યાધરો પાસેથી બધો વૃત્તાંત જાણી, તારી પત્ની તેને મેળવી આપીશ.” મારું મન એ વિદ્યાધર ઉપર ઓવારી ગયું. કોઈ ઓળખાણ વિના, પરિચય વિના.. કેવળ ઉપકારવૃત્તિથી પ્રેરાઈને, એ મારું દુઃખ દૂર કરવા, ઉદ્યત થયો હતો. મેં કહ્યું : “હે વાત્સલ્યના સાગર, તમારી આજ્ઞાનો સ્વીકાર કરું છું. આપ આવશો ત્યાં સુધી હું આ લતામંડપમાં... કે આ ઉદ્યાનમાં જ રહીશ.' વિદ્યાધરને મેં ભાવપૂર્વક પ્રણામ કર્યા. વિદ્યાધર ચાલ્યો ગયો. મલયપર્વત પરના રમણીય ઉદ્યાનમાં હું એકલો ભ્રમણ કરવા લાગ્યો. વિદ્યાધરોનું ઉદ્યાન હોય એટલે એની શોભાનું પૂછવાનું જ શું હોય! સર્વત્ર રમણીયતા પથરાયેલી હતી. વાતાવરણમાં પુષ્પોની માદક સુગંધ ફેલાયેલી હતી. મારું મન હળવું બની ગયું હતું. ખેદ-ઉદ્વેગ દૂર થઈ ગયા હતા. પુનઃ વિલાસવતીના સંગમની કલ્પનાઓ ઊભરાવા માંડી હતી. એનાં સુખ-દુઃખના વિચાર શરૂ થઈ ગયા હતા. મૃત્યુના મુખમાંથી મને પાછો લઈ આવનારા, એ ઉપકારી વિદ્યાધરના વિચારો આવવા લાગ્યા. જો એણે મને... પકડી ના લીધો હોત તો મારું મૃત્યુ નિશ્ચિત હતું.. અને જ્યારે વિલાસવતીને ખબર પડત કે “હું મરી ગયો છું.' ત્યારે એ પણ પોતાના પ્રાણોનો ત્યાગ કરી દેત... એ પણ આપઘાત કરી નાખત.. અને આ રીતે અમારાં મનુષ્યજીવન નિષ્ફળ જાત.... વિદ્યાધરના કહેવા મુજબ અમારી દુર્ગતિ જ થાત. મહાન ઉપકાર કરનારા આ વિદ્યાધરના ઉપકારનો બદલો હું કેવી રીતે વાળી શકીશ? પેલા ઋષિ કે જેમણે, ગળે ફાંસો નાખીને, મરવા માટે મેં પ્રયત્ન કરેલો.. ને મારી રક્ષા કરેલી... એમનો ઉપકાર પણ ભૂલી શકાય એમ નથી... આશ્રમનાં એ તપસ્વિનીનો કુલપતિનો અનન્ય ઉપકાર સતત યાદ રહેશે? એમના ઉપકારોનો બદલો ક્યારે વાળી શકાશે? મિત્ર મનોરથદત્ત! અજાણી ધરતી પર એણે અમારા પર કેવો અનન્ય ઉપકાર કર્યો હતો? દિવ્ય વસ્ત્ર મને ભેટ આપી દીધું. મેં એને કંઈ જ આપ્યું નહીં. શું આપું? મારી પાસે એને આપવા જેવું હતું જ શું? અને મારા પ્રાણપ્રિય મિત્ર વસુભૂતિનો મારા પર કેટલો મોટો ઉપકાર છે? મારી ખાતર એ સર્વસ્વનો ત્યાગ કરી... મારી સાથે ચાલ્યો હતો... મને સુખી કરવા હમેશાં એ તત્પર રહેતો હતો... ક્યારે મળશે એ? ક્યાં રહેલો હશે એ..? એમ તો મહારાજા ઇશાનચંદ્રના ઉપકારો પણ ભુલાય નહીં. તેમણે મને પુત્રવત્ રાખ્યો હતો. મારી બધી જ સગવડતાઓ સાચવી હતી. મને ખૂબ સ્નેહ આપ્યો હતો... એ તો રાણીના નિમિત્તે તેઓ રોષે ભરાયા હતા. 04 ભાગ-૨ ભવ પાંચમો For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy