SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જવામાં હું ભૂલ કરું છું. આવો નિઃસ્વાર્થ પ્રેમ દુનિયામાં ક્યાંય સુલભ નથી. શ્વેતામ્બીમાં કે તામ્રલિખીમાં, ક્યાંય આવો પ્રેમ વિલાસવતીને મળવાનો ન હતો. હું એક વૃક્ષની નીચે રાખવામાં આવેલા પથ્થર-આસન પર બેઠો હતો. તાપસો મારી પાસેથી ચાલ્યા ગયા હતા. હું એકલો જ બેઠો હતો. તપસ્વિની માતા મારી પાછળ આવીને ઊભા રહી ગયાં હતાં. તેઓ બોલ્યાં : “કુમાર, આશ્રમ છોડવાનું કપરું લાગે છે ને? જોયો આશ્રમવાસીઓનો નિઃસ્વાર્થ પ્રેમ? કેવળ ગુણાનુરાગમાંથી જન્મેલો આ પ્રેમ છે.' ઊભો થઈ ગયો. તપસ્વિનીને પ્રણામ કર્યા. મારો કંઠ રુંધાઈ ગયો હતો. હું જમીન પર દૃષ્ટિ સ્થિર કરીને, ઊભો રહ્યો. મારા જીવનમાં આ પહેલો જ અનુભવ હતો... કે તપસ્વિની.. બ્રહ્મચારિણી અને સંન્યાસિની એવી એક જાજરમાન સ્ત્રી પ્રત્યે નિર્વિકાર સ્વચ્છ પ્રેમ મારા હૃદયમાં પ્રગટ્યો હતો. એમને છોડી જવામાં દુ:ખ થઈ રહ્યું હતું. ક્ષણભર મનમાં એમ પણ થઈ આવ્યું : “અહીંથી મારે શા માટે જવું જોઈએ? મને અહીંથી જવા માટે કોઈએ આજ્ઞા તો કરી નથી... આ તો મેં જ અહીંથી જવાની અનુમતિ માગી છે. કોના માટે મારે અહીંથી જવું જોઈએ? વિલાસવતી અહીં મળી ગઈ છે. હા, મિત્ર વસુભૂતિને મળવાની તીવ્ર ભાવના છે. પરંતુ એ તો ભગવાન કુલપતિ દ્વારા પણ કામ થઈ શકે છે...” જો મને તપસ્વિની ભગવતીએ બોલાવ્યો ના હોત તો મારી વિચારધારા આગળ વધી જાત, પરંતુ ભગવતીએ મને કહ્યું : “કુમાર, ચાલો આપણે કુટિરમાં બેસીએ. મારે તમને કેટલીક વાતો કરવી છે.' હું એમની પાછળ ચાલ્યો. અમે કુટિરમાં જઈ, જમીન પર બેઠાં, વિલાસવતી તો તાપસકન્યાઓથી ઘેરાયેલી હતી. ત્યાંથી જલદી છૂટી શકે એમ ન હતી. કુમાર, ગઈ કાલે સંધ્યાસમયે મેં કુલપતિને, તમારા પ્રયાણ અંગે વાત કરી. તેઓએ પણ અનુમતિ આપી, પરંતુ એ પરોપકારી મહાપુરુષે પોતાના દિવ્ય જ્ઞાનમાં તમારું ભવિષ્ય જોઈને, મને કહ્યું : હજુ કુમારને સંકટો સામે ઝઝૂમવું પડશે. કષ્ટો આવશે પરંતુ કુમાર કષ્ટોમાંથી ઊગરી જશે. વિલાસવતીના જીવનમાં પણ કષ્ટ આવશે. પરંતુ એના શીલધર્મના પ્રભાવે એ પણ કષ્ટોમાંથી બચી જશે. કુમારને દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થશે... અને વિદ્યાધરોનો રાજા થશે. છેવટે રાજપાટનો ત્યાગ કરી એ શ્રમણ બનશે. મનુષ્યજન્મને સફળ કરશે...” હું હર્ષવિભોર બની ગયો. મેં તપસ્વિનીનાં ચરણોમાં મસ્તક મૂકી, પ્રણામ કર્યા, અને કહ્યું : “ભગવતી, ભગવાન કુલપતિનો મારા પર અનહદ ઉપકાર થયો.. મને મારી અંતિમ નિયતિ જાણવા મળી... હું શ્રમણ બનીશ, અણગાર બનીશ, મારું પર, સૌભાગ્ય હશે એ. વિલાસવતી આવી. તે તપસ્વિનીની પાસે બેસી ગઈ. તેના મુખ પર ગંભીરતા શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy