SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજી બાજુ મુશળધાર વર્ષા ચાલુ થઈ ગઈ. વહાણ ઊછળી ઊછળીને પાણી પર પછડાવા લાગ્યું. વહાણની પડખેનું એક પાટિયું તૂટી ગયું.. અને વહાણમાં પાણી ભરાવા માંડ્યું. નાવિકો એને રોકવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં બીજી બાજુનું પાટિયું તૂટી ગયું. વહાણમાં પાણી જ પાણી થઈ ગયું. મને લાગ્યું કે હવે આ જહાજ ડૂબી જવાનું... નાવિકો નિરાશ થઈ ગયા હતા. ઈશ્વરદત્ત જેવો બાહોશ વહાણવટી મૂઢ બની ગયો હતો... હું અને વસુભૂતિ વહાણને બચાવવા માટે નિરર્થક પ્રયત્ન કરે જતાં હતાં. અને વીજળીનાં એક ભયાનક કડાકા સાથે અમારું વહાણ ભાંગી ગયું. અમે સહુ ચારે દિશામાં ફંગોળાઈ ગયા. હું અને વસુભૂતિ છૂટા પડી ગયા. અમને તરતાં આવડતું હતું. જેવું વહાણ ભાંગ્યું, મારા હાથમાં વહાણનું એક પાટિયું આવી ગયું. મેં પાટિયાને બરોબર પકડી લીધું. પાટિયાની સાથે સમુદ્રમાં હું તણાવા લાગ્યો. ત્રણ દિવસ અને ત્રણ રાત સમુદ્રમાં તણાતો રહ્યો, ઊછળતો રહ્યો.. પટકાતો રહ્યો. છેવટે હું કિનારે પહોંચ્યો. કિનારા પર વનરાજી પથરાયેલી હતી. થોડે દૂર વૃક્ષો પણ ઊભેલાં હતાં. હું વનરાજી પર આવ્યો. ભીનાં વસ્ત્રોને નિચોવી નાખ્યાં. પરંતુ પેલું દિવ્ય વસ્ત્ર “નયનમોહન' જરાય ભીંજાયું ન હતું! મને ખૂબ આશ્ચર્ય થયું. મેં એ દિવ્ય વસ્ત્રને વનરાજી પર પાથર્યું અને સૂઈ ગયો. ખૂબ શ્રમિત થઈ ગયો હતો હું. એકાદ ઘટિકા સુધી ત્યાં પડ્યો. રહ્ય.. પછી સૂર્યનો તાપ દઝાડવા લાગ્યો એટલે ઊભો થઈને પાસેના જંબુવૃક્ષની છાયામાં જઈને બેઠો. ઘરેથી નીકળ્યા પછી, આ રીતે પહેલી જ વાર હું એકલો પડી ગયો હતો. પરંતુ મારી પાસે દિવ્ય વસ્ત્ર હોવાથી હું નિર્ભય હતો. દિવ્ય શક્તિનાં સાન્નિધ્ય માત્રથી હું નિશ્ચિત થયેલો હતો. છતાં મને મિત્ર વસુભૂતિની સ્મૃતિ સતાવતી હતી... હું વિચારવા લાગ્યો : “ભાગ્યના વિલાસો કેવા વિચિત્ર હોય છે! કર્મોની ગતિ કેવી અચિંત્ય હોય છે! ક્યાં શ્વેતાંબીનગરીનો રાજમહેલ... અને જ્યાં આ નિર્જન એકાંત સમુદ્રકિનારો! ક્યાં વિશાળ પરિવાર અને દાસ-દાસીઓથી પરિવરેલું મારું રાજવી જીવન! અને ક્યાં અહીં એકલું અટુલું ને ચીંથરેહાલ જીવન! કેવી કેવી વિચિત્ર અવસ્થાઓમાંથી હું પસાર થયો? અને હજુ શી ખબર મારા કર્મો મને ક્યાં લઈ જશે? વિલાસવતીનો વિયોગ થયો જ હતો, હવે મારા બીજા આત્મા જેવા મારા મિત્રનો પણ વિયોગ થઈ ગયો. કેવો સંયોગ અને વિયોગનો ક્રમ ચાલી રહ્યો છે? મને એમ લાગે છે કે હું કદાચ વિયોગની વ્યથા વધુ સમય સહન નહીં કરી શકે... હવે મારી ધીરજનો અંત આવી જશે? જીવનનો મોહ જાણે મરી ગયો છે...' મને અત્યંત ક્ષુધા લાગી હતી. તૃષા પણ મને પીડી રહી હતી. હું ઊભો થયો. આજુબાજુ દૂર દૂર સુધી નજર નાખી... ઉત્તર દિશા તરફ મને હર્યોભર્યો પ્રદેશ શ્રી સમરાદિત્ય મહાકથા ૭૩ For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy