SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૧૦]h] મેં વિનયંધરને કહ્યું : “ભાઈ, તું મહારાજાનો સેવક છે. તને મહારાજાએ જે આજ્ઞા કરી છે, તે આજ્ઞાનું પાલન કર. મહારાજાની દૃષ્ટિમાં હું કુલાંગાર બન્યો છું.. દુરાચારી બન્યો છું. હવે મને જીવવાનો મોહ નથી રહ્યો...” ત્યાં રસ્તા પરથી છીંકનો અવાજ આવ્યો. કુમારવાસના દ્વારે ઊભેલા નગરના બ્રાહ્મણ-વિદ્વાનો, મારો અને વિનયંધરનો વાર્તાલાપ સાંભળતા હતા, તેમાંના એક નૈમિત્તજ્ઞ બ્રાહ્મણે કહ્યું : “હે રાજપુરુષ, આ રાજપુત્ર નિર્દોષ છે, એમ હું મારા જ્યોતિષશાસ્ત્રના આધારે કહું છું. અને કુમારની નિર્દોષતા સિદ્ધ કરવા માટે જો કોઈ દિવ્ય કરવાનું હોય તો અમે દિવ્ય કરવા તૈયાર છીએ! વિનયંધરને નૈમિત્તજ્ઞની વાત સાંભળી હર્ષ થયો. તેણે મને કહ્યું : “સનકુમાર, તમે નિર્દોષ છો. તમે તમારા કુળને કલંકિત નથી કર્યું, તમે દુરાચારનું સેવન નથી કર્યું. આ વાતને છીંકે સમર્થન આપ્યું છે અને આ બ્રાહ્મણ-વિદ્વાને પણ કહ્યું છે. મહારાજાએ ખોટી રીતે આજ્ઞા કરી છે. કુમાર, આ શી વાત બની છે, તે જ મને કહો તો હું મહારાજાને સત્યથી જ્ઞાત કરું. વિનયંધર, મારે કાંઈ કહેવું નથી, મહારાણીએ જે કહ્યું છે, તે મને સ્વીકાર્ય છે.” નહીં, સનકુમાર, તમારો દોષ નથી જ. એ રાણી જ દુષ્ટ છે. પાપિણી છે... આ મારો નિર્ણય છે, આ બ્રાહ્મણોનો નિર્ણય છે. જોકે હું વિશેષ વાત જાણતો નથી, પરંતુ હું મહારાજને આ બધી વાત કહીશ એટલે તેઓ મને, રાણીએ તેમને કહેલી બધી વાત મને કહેશે.” વિનયંધર ઊભો થયો, કે તરત જ મેં એનો હાથ પકડીને કહ્યું : “વિનય, એ બધી વાત છોડી દે. એમ કરવાથી મહારાણીને કષ્ટ થશે. સત્ય જાણ્યા પછી મહારાજા રાણીને શૂળી પર ચઢાવી દેશે... મારે એવું નથી કરવું. મને આ ક્ષણિક એવા ચંચળ જીવન પર હવે મોહ નથી. જીવનની ખાતર માતાતુલ્ય મહારાણીને હું ક્લેશ કરાવવા નથી ઈચ્છતો. તારે મહારાજને કોઈ વાત નથી કરવાની, તેમની આજ્ઞાનું પાલન કરવાનું છે.” કુમાર, તમે અમારા ઉપકારી મહારાજ યશોવર્માના સુપુત્ર છો... હું વધારે તમને શું કહું? તે પાપિણી રાણી પર મારા ચિત્તમાં રોષ પ્રગટ્યો છે. તમે કૃપા કરો, મને છોડો અને મહારાજા પાસે જવા દો. હું બધી સાચી વાત કહી દઈશ.' મેં કહ્યું : “વિનયંધર, રાજાને વાત કહેવાનો આગ્રહ છોડી દે.” ભાગ-૨ + ભવ પાંચમો For Private And Personal Use Only
SR No.008951
Book TitleSamaraditya Mahakatha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy