SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપોવનના દ્વારે તાપસી પંક્તિબદ્ધ ઊભા રહી ગયા હતા. “આજે એ મહાતપસ્વી અગ્નિશમ, નિર્વિઘ્ન પારણું કરીને, સ્વસ્થ બનીને આવે.. એટલે શાંતિ...' આવી શુભ ભાવના ભાવતા તાપણો રાજાની કુશળતા ઇચ્છતા હતા. “રાજાને કોઈ કષ્ટ ન હો... રાજા સરળ... નિર્મળ ચિત્તવાળો છે, સાધુ-સંન્યાસીઓનો પરમ ભક્ત છે.. એનાં તન-મન કુશળ રહો...' ત્યાં તેમણે દૂરથી ધીમી ગતિએ આવતા અગ્નિશર્માને જોયો. અપેક્ષા કરતાં ઓછા સમયમાં અને મંદ ગતિએ આવતા અગ્નિશર્માને જોઈને તાપસોના પેટમાં સો મણનો ધ્રાસકો પડ્યો. “શું આજે પણ આ તપસ્વીને પારણું નહીં થયું હોય? ઓહો... શું દુર્ઘટના બની હશે?” અગ્નિશર્માએ તપોવનમાં પ્રવેશ કર્યો. સર્વે તાપસીએ ચિંતાતુર વદને અગ્નિશમને પ્રણામ કર્યા. અગ્નિશર્માએ પણ બે હાથ જોડી સહુનું અભિવાદન સ્વીકાર્યું. તાપસોએ કંઈ પૂછયું નહીં, અગ્નિશર્મા કંઈ બોલ્યો નહીં. અગ્નિશર્માની પાછળ-પાછળ સહુ કુલપતિના નિવાસ પાસે પહોંચ્યા. અગ્નિશર્માએ કુલપતિના નિવાસમાં પ્રવેશ કર્યો, કુલપતિએ મધુર શબ્દોથી તેને આવકાર્યો.. અને એની સામે બે-ચાર ક્ષણ જોઈને પૂછયું : “વત્સ, શું આજે પણ પારણું ન થયું?” અગ્નિશર્મા આસન પર બેઠો. તેણે બનેલી સમગ્ર ઘટના કહી સંભળાવીને છેવટે કહ્યું: “ભગવનું, રાજાનું દુઃખ મારાથી જોયું ન ગયું એટલે એમને શાત્તિ આપવા તથા તેમનું દુઃખ દૂર કરવા હવે પછી જ્યારે પારણાનો દિવસ આવશે ત્યારે તેના ત્યાંથી આહાર ગ્રહણ કરવાની એની પ્રાર્થના મેં સ્વીકારી છે.' વત્સ, ઉત્તમ કામ કર્યું. ઘણું ઉત્તમ કામ કર્યું. ગુણોના ભંડાર સમા ગુણસેન રાજાને વત્સ, તેં ઘણી શાન્તિ આપી. તપસ્વીજનો ખરેખર, પરજનવત્સલ હોય છે. અને તેથી તેઓ સર્વજનવલ્લભ બનતા હોય છે.” તાપસોએ સર્વ વૃત્તાંત સાંભળ્યો. સહુના હૃદયમાં અગ્નિશર્મા પ્રત્યે આદરભાવ વધી ગયો. આપસમાં વાર્તાલાપ કરતા, અગ્નિશર્માના ગુણોની પ્રશંસા કરતા તાપસો પોતપોતાના સ્થાને ગયા. બે-બે મહિનાના ઉપવાસ થઈ ગયા, ત્રીજા મહિનાના ઉપવાસની તેણે કુલપતિ પાસે પ્રતિજ્ઞા કરી લીધીછતાં કેટલી બધી સમતા છે એ મહાતપસ્વીને! શરીર પ્રત્યે કેટલી વિરક્તિ છે!” આજ સાચી તપસ્વિતાનાં દર્શન થયાં...' મહારાજા પ્રત્યે કેટલી સહાનુભૂતિ વ્યક્ત કરી એ મહાનુભાવે! મહારાજાની શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy