SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્યાણમિત્ર બન્યો છે, પછી શા માટે તે સંતાપ કરે છે? તું પરલોકનો ભય રાખનાર છે, ધર્મશાસ્ત્રોનો જ્ઞાતા છે, તું કોઈ અયોગ્ય આચરણ કરે, તે હું માનતો નથી, છતાં તું કહે છે કે “મેં દુર્જનતા દાખવી અયોગ્ય આચરણ કર્યું...” તો એવું તેં ક્યું અયોગ્ય આચરણ કર્યું છે તે મને કહે.” રાજાએ કહ્યું : “ભગવંત, મેં એ મહાત્માને મહિનાના ઉપવાસનું પારણું કરવા નિમંત્રણ આપ્યું. અને પ્રમાદથી એમને પારણું ના કરાવી શક્યો... એ જ મારા ઘોર સંતાપનું કારણ છે.” “રાજન, એવો કેવો પ્રમાદ થયો?' “પ્રભો, મારા મસ્તકમાં અતિશય વેદના ઉત્પન્ન થઈ. તેથી હું પરવશ બની ગયો. મારા પરિવારને, પારણા અંગે સૂચનાઓ આપવાની પ્રમાદથી ભૂલી ગયો... એ મહાત્માને પારણું ના થયું.. હું તેમના માટે આહારનો અંતરાય કરનાર બન્યો, તે સાથે તેમના માટે ધર્મનો અંતરાય કરનારો બન્યો. મને આ વાતનું અત્યંત દુઃખ વત્સ, આમાં તારો અપરાધ નથી. તીવ્ર વેદનાનાં સમયમાં મનુષ્યોને પોતાનાં કર્તવ્યોની સ્મૃતિ ન રહે, તે સ્વાભાવિક વાત છે. વળી, તેને પારણું ન થવાથી પતરાય નથી થયો પરંતુ તપસંપત્તિની વૃદ્ધિ થઈ છે, માટે રાજન, ઉદ્વેગ ના કર, સંતાપ ના કર.' “ભગવંત, આપનું હૃદય માતાનું હૃદય છે. આપ ધ્યાળુ છો. કૃપાળુ છો, આપ મારા અપરાધને, મારી ભૂલને.. ભૂલ માનતા નથી, આપની આ મહાનતા છે. પરંતુ હું મારી ભૂલ સમજું છું... મેં બહુ મોટી ભૂલ કરી છે.” “વત્સ, તારો સંતાપ, તારો ઉદ્વેગ મને અને આ સર્વે તાપસોને દુઃખી કરે છે. માટે કોઈ પણ રીતે તારો સંતાપ દૂર થવો જોઈએ.” ભગવંત, જ્યાં સુધી એ મહાતપસ્વી મહાનુભાવ મારા ઘરમાં પધારીને આહાર ગ્રહણ ના કરે ત્યાં સુધી મારી ઉગ કેવી રીર્ત દૂર થઈ શકે? અને, એ મહાત્માએ તો એમની પ્રતિજ્ઞા અનુસાર આજથી જ બીજા મહિનાના ઉપવાસ શરૂ કરી દીધા હશે. તેથી મારે ત્યાં પધારીને આહાર લેવાનું... કેવી રીતે બને?” “રાજન, જ્યારે બીજા મહિનાના ઉપવાસનું પારણું આવશે, ત્યારે જો કોઈ વિઘ્ન નહીં આવે તો તારા મહેલમાં એ મહાનુભાવ પારણું કરવા આવશે.” “પ્રભો, આપની આ કૃપાથી હું ધન્ય થયો, બે મહિનાના ઉપવાસનું પારણું કરાવવાની મને અનુમતિ આપીને, આપે મને શોકસાગરથી પાર ઉતાર્યો...” કે એક શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy