SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોહીલુહાણ શરીર... અહો એ જ અગ્નિશર્મા...? એ જ બ્રાહ્મણપુત્ર..? આજે લાખો વર્ષ પછી નવા સ્વરૂપે મારી સામે બેઠા છે? હું એમનો અપરાધી છું.' શરમથી રાજા ગુણસેનનું મુખ નમી ગયું. જમીન પર દષ્ટિ સ્થિર કરીને તેમણે તપસ્વીને પૂછ્યું : “હે ભદંત, સૈલોક્યના બંધુસમાન ધર્મમાં, એ રાજ કુમારે આપને કેવી રીતે પ્રેરણા આપી?’ રાજા આ પ્રશ્ન પૂછે છે અને તપસ્વી અગ્નિશમાં પ્રત્યુત્તર આપે છે, ત્યાં સુધી અગ્નિશર્મા - “આ જ રાજા, મારો કલ્યાણમિત્ર રાજકુમાર હતો.' ઓળખી શક્યો નથી. “આ જ રાજા મારો ઘોર ઉપહાસ કરનાર...મારા પર ભયંકર ત્રાસ ગુજારનાર... અને મારા પર શિકારી કૂતરા છોડનાર.. એ જ અધમ રાજકુમાર છે.' આ રીતે ઓળખી શક્યો નથી. તપસ્વી અગ્નિશર્માએ રાજાના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું : હે ભાગ્યશાળી, જગતમાં પ્રેરણા અનેક પ્રકારની હોય છે. તેમાંની કોઈપણ એક પ્રેરણા મારા વૈરાગ્યમાં નિમિત્ત બની.” અગ્નિશર્મા તાપસ હતો, સંન્યાસી હતો. તેના મુખમાંથી કોઈના દોષો કેવી રીતે બહાર આવે? ગુણસને અગ્નિશમ સામે અહોભાવથી જોયું. તે વિચારે છે : “ખરેખર આ મહાનુભાવ છે! સાચો સાધુ છે! એનો ઘોર પરાભવ કરનાર... એની ભયંકર કદર્થના કરનાર એ કુમારને ધર્મપ્રેરણા કરનાર માને છે! કલ્યાણમિત્ર માને છે! કેવો નિર્મળ સ્વભાવ છે આ મહાત્માનો? પરાભવને પ્રેરણા માનવાની કેવી ઉદાત્ત વિચારધારા...? કોઈના પણ દોષની નિંદા નહીં! કોઈનો દોષ યાદ કરી કટુ-કર્કશ વાણીમાં દોષાનુવાદ કરવાની કોઈ વાત નહીં! શું કરું? હજુ આ મહાત્માએ મને ઓળખ્યો નથી. અરેરે... મેં પાપીએ કેવું ઘોર અકાર્ય એ કુમાર-અવસ્થામાં કર્યું હતું? મારી કલંકિત જાતને પ્રગટ કરી દઉં? આ મહાત્મા છે. મને ઓળખ્યા પછી પણ એ મારો તિરસ્કાર નહીં જ કરે... હું તો બહુ મોટો અપરાધી છું.” રાજાનું હૃદય ભરાઈ આવ્યું. તેમની આંખો ભીની થઈ ગઈ. ગદ્દ સ્વરે તેમણે અગ્નિશમને કહ્યું : “હે ભદત, આપને ઘોર પીડા આપનાર, ત્રાસ ગુજારનાર અને આપના હૃદયને સંતાપનાર એ પાપી રાજકુમાર ગુણસેન હું જ પોતે છું....!' રાજાએ તપસ્વીનાં ચરણોમાં પોતાનું મસ્તક મૂકી, આંસુઓથી તપસ્વીના ચરણો ભીંજવી દીધા. અગ્નિશર્માએ રાજાના માથે હાથ ફેરવીને કહ્યું : મહારાજા ગુણસેન, હું તમારું સ્વાગત કરું છું. ભિક્ષાવૃત્તિથી જીવનારો હતો હું. મને આપના જ નિમિત્તે આવી તપ-વિભૂતિ પ્રાપ્ત થઈ છે. આપનો જ ઉપકાર છે. ભાગ-૧ ભવ પહેલો પ૮, For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy