SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહોળા વાંકા પગ, પીળા ઊંચા વાળ.. કુલપતિ જોતા જ રહી ગયા. સ્વગત બોલ્યા : “શરીર ગમે તેવું હોય ભાવિક અને વિવેકી અતિથિ છે, મારે તેનો સત્કાર કરવો જોઈએ.’ તેમણે પોતાનો ધ્યાનયોગ છોડ્યો. અગ્નિશર્માને આવકારતાં તેઓ બોલ્યા : “અરે આસન લાવો, આસન લાવો...” અતિથિનું સ્વાગત હો.” પર્ણકુટીની બહાર બેઠેલા તાપસકુમારે આસન પાથર્યું અને અગ્નિશર્માને કહ્યું : “મહાનુભાવ, અહીં બેસો.” અગ્નિશર્માએ કુલપતિને પુનઃ પ્રણામ કર્યા અને તે વિનયપૂર્વક આસન પર બેઠો. તેને કુલપતિ ગમ્યા, પર્ણકુટિ ગમી... તપોવનનો વ્યવહાર ગમ્યો. તાપસકુમાર ગમ્યો. વત્સ! તું ક્યાંથી આવે છે?' કુલપતિએ વાત્સલ્યપૂર્ણ શબ્દોમાં પૂછ્યું. અગ્નિશર્માએ દીન અને દુઃખી સ્વરે કહ્યું : “હે મહાત્મનું, હું ક્ષિતિપ્રતિષ્ઠિત નગરથી આવું છું. મહારાજા પૂર્ણચન્દ્ર ત્યાં રાજ્ય કરે છે. રાજકુમાર મારા કૂબડા શરીર પર વર્ષોથી ત્રાસ ગુજારે છે. મારા માથે કાંટાનો મુગટ પહેરાવી, ગળામાં ખાસડાંનો હાર પહેરાવી, કાબરચીતરા રંગોથી મારું મોટું રંગી મને ગધેડા પર બેસાડી નગરમાં મારી સવારી કાઢે છે. મારી ઘોર ઉપહાસ કરે છે. દોરડાથી બાંધીને કૂવામાં ઉતારીને ડૂબકીઓ ખવડાવે છે. મારા પર શિકારી કૂતરા છોડી દે છે, કડકડતા શિયાળામાં મારાં વસ્ત્ર ઉતારીને બરફ જેવું ઠંડું પાણી મારા શરીર પર છાંટે છે. અસહ્ય વેદનાથી હું ચીસો પાડું છું ત્યારે એ અને એના મિત્રો ખૂબ તાલીઓ પાડીને, જોર જોરથી હસે છે ને નાચે છે. પ્રભો, નરકમાં જેવી પીડા પરમાધામી દેવો આપે છે, તેવી જ પીડા મને રાજકુમાર આપે છે.. વિશેષ શું કહ્યું?' એટલે તેં ગૃહત્યાગ કર્યો, ખરું ને?” “હા પ્રભો...” “વત્સ, પૂર્વજન્મમાં મન-વચન-કાયાથી બાંધેલાં પાપકર્મો આ જન્મમાં ઉદયમાં આવ્યાં છે, માટે આવા પરિફ્લેશનું તું ભાજન બન્યો છે. રાજકુમારે તારું ઘોર અપમાન કર્યું છે, અવહેલના કરી છે. પરંતુ ગૃહત્યાગ કરીને તું અહીં આવી ગયો છે, તે તારું સદ્ભાગ્ય છે. રાજાઓના અપાર ત્રાસથી પીડા પામેલા, દુઃખ અને દરિદ્રતાથી પરાભવ પામેલા, દુર્ભાગ્ય અને કલંકથી દુભાયેલા.... પ્રિયજનોના વિરહથી ખૂબ સંતાપ પામેલા મનુષ્યો માટે આ તપોવન, શ્રેષ્ઠ શાન્તિનું સ્થાન છે. આ ભવમાં સુખ અને પરભવમાં સુખ અહીં આ તપોવનમાં રહેનારને કોઈનોય ભય રહેતો નથી, શ્રી સમરાદિત્ય મહાકથા 39 For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy