SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ-] નક મૌર્યપુત્રે દીક્ષા ગ્રહણ કરી લીધી. એ સાંભળીને “અકંપિત નામના વિદ્વાન બ્રાહ્મણ, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને વંદન કરવા આવ્યા. ભગવાને એમને એમના નામગોત્ર સાથે બોલાવ્યા અને કહ્યું : 'મહાનુભાવ, વેદોનાં વિરુદ્ધ વચનો સાંભળીને તને નરકના વિષયમાં શંકા ઉત્પન્ન થઈ છે ને? નરકનું પ્રતિપાદન કરનારું વેદવચન તેં સાંભળ્યું : ‘નારો વેષ ખાતે ય : ફૂકાતનાતિ!' “જે બ્રાહ્મણ શૂદ્રના અને ખાય છે, તે નારફ બને છે, અર્થાતુ નરકમાં ઉત્પન્ન થાય છે.” બીજું વેદ-વચને તે નરકનો નિપેધ કરનારું સાંભળ્યું : અને હવે પ્રેત્યા નીરવેT: સત્તિ!' અર્થાતુ મરીને કોઈ નારક નથી બનતું, નારકીમાં ઉત્પન્ન નથી થતું.' આ પરસ્પર વિરોધી વેદ-વચનો સાંભળીને તારા મનમાં શંકા ઉત્પન્ન થઈ કે નરક હશે કે કેમ?” તે વિચાર્યું કે ચન્દ્ર-સૂર્ય વગેરે દેવો તો પ્રત્યક્ષ છે. વિદ્યા મંત્ર આદિ દ્વારા ઇચ્છિત ફળ આપનારા બીજા દેવોને પણ માની શકાય. પરંતુ નારકોની તો માત્ર ચર્ચા જ કરી શકાય. નથી એ પ્રત્યક્ષ દેખાતા કે ન અનુમાનથી એમની સિદ્ધિ થતી.” “ભગવંત, આપે મારા મનની શંકા કહી દીધી. આજ સુધી મેં કોઈની પણ આગળ આ શંકા વ્યક્ત કરી નથી. પ્રભો, મારી શંકાનું સમાધાન કરવાની કૃપા કરો.” અકંપિત, તને અને બીજા છબસ્થ જીવોને જે નારકો પ્રત્યક્ષ નથી દેખાતા, તે નારકીના જીવો મને પ્રત્યક્ષ દેખાય છે. કેવળજ્ઞાનના આલોકમાં એ પ્રત્યક્ષ છે. શું એવો સિદ્ધાંત છે કે જે પોતાને પ્રત્યક્ષ હોય તેને જ માનવાનું અને જે બીજાને પ્રત્યક્ષ હોય તે નહીં માનવાનું? જે વસ્તુ કોઈ એક વ્યક્તિને પણ પ્રત્યક્ષ હોય છે, તેને સંપૂર્ણ વિશ્વ પ્રત્યક્ષ માને છે. અથવા, જે ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ હોય, શું તે જ પ્રત્યક્ષ છે? તે તો ઔપચારિક પ્રત્યક્ષ હોય છે. વાસ્તવિક તથ્ય તો ઇન્દ્રિયાતીત હોય છે. હે કપિત, કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને અવધિજ્ઞાનથી રહિત જીવોનાં જ્ઞાન અનુમાન માત્ર જ હોય છે વસ્તુઓનો સાક્ષાત્કાર કરનારા કેવળજ્ઞાનાદિ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ' માનવામાં આવ્યાં છે. નરકને સિદ્ધ કરવામાં જ્યારે પ્રત્યક્ષ અને અનુમાન, બંને પ્રમાણભૂત છે ત્યારે, નારકોનું અસ્તિત્વ ના માનવું તે ઉચિત નથી. પુણ્યકર્મનું પ્રકૃષ્ટ ફળ ભોગવનારા જેમ દેવ કહેવાય, તેમ પ્રકૃષ્ટ પાપફળ ભોગવનારાને “નારક” કહી શકાય. તું જો એમ માનતો હોય કે જેઓ અત્યંત દુ:ખી છે તેવાં પશુ-પક્ષીઓને નારક માનવાં જોઈએ, તો તે ઉચિત નથી, કારણ કે જેવી રીતે શ્રી સમરાદિત્ય મહાકથા ૫૦૧ For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy