SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને નિવણના સમયે કેટલાક દેવો કર્તવ્ય સમજીને આ જગતમાં આવે છે. હે સૌમ્ય, કેટલાક દેવો તીર્થંકર પ્રત્યેની પ્રીતિ-ભક્તિથી આવે છે, કેટલાક પોતાના સંશયોને દૂર કરવા આવે છે, કેટલાક પૂર્વજન્મના અનુરાગથી આવે છે. કેટલાક દેવો વિશિષ્ટ તપશ્ચર્યાથી આકૃષ્ટ થઈને આવે છે. કેટલાક અનુગ્રહ માટે તો કેટલાક નિગ્રહ માટે આવે છે. કેટલાક દેવો, સાધુઓની પરીક્ષા લેવા પણ આવે છે. દેવોનું અસ્તિત્વ - ૧. જાતિસ્મરણજ્ઞાન” વાળાં સ્ત્રી-પુરુષોના કથનથી. ૨. તપશ્ચર્યા વગેરે વિશિષ્ટ ગુણોવાળી વ્યક્તિને દેવોનાં પ્રત્યક્ષ દર્શનથી. ૩. વિદ્યા અને મંત્રોની સિદ્ધિથી. ૪. કોઈ ગ્રહના પ્રભાવથી. ૫. ઉત્કૃષ્ટ કર્મના ફળરૂપે, અને ૬. આગમોના માધ્યમથી માની શકાય છે. વત્સ, દરેક શબ્દનો, સ્વતંત્ર શબ્દનો અર્થ હોય છે. “દેવ' એક સાર્થક શબ્દ છે. એ શબ્દનો જે અર્થ છે તે જ “દેવ' છે. કેટલાક લોકો માને છે કે ‘ગુણ અને વૈરાગ્યવાળા મનુષ્યને જ દેવ માનવો જોઈએ. અદૃશ્ય દેવની કલ્પના શા માટે કરવી જોઈએ? એમ ના માની શકાય. મનુષ્યમાં દેવોનો ઉપચાર તો જ કરી શકાય, જો વાસ્તવિક, ‘દેવ'નું અસ્તિત્વ હોય, જેમ જંગલમાં સિંહનું અસ્તિત્વ છે, તો મનુષ્યમાં સિંહનો ઉપચાર કરીને કહેવાય કે, “આ માણસ તો સિંહ છે!' વળી હે મૌર્યપુત્ર, જો તું દેવોનું અસ્તિત્વ ના માને તો દાન વગેરે ધર્મક્રિયા અને યજ્ઞ-યાગ વગેરે ધર્મક્રિયાઓ, કે જે સ્વર્ગનાં ફળ આપનારી છે, તે નિષ્ફળ બની જશે. મંત્રો દ્વારા ઇન્દ્રાદિ દેવોને જે આહ્વાન કરવામાં આવે છે. તે પણ નિપ્રયોજન સિદ્ધ થશે. માટે પ્રત્યક્ષ પ્રમાણથી તથા અનુમાન પ્રમાણથી દેવોના અસ્તિત્વને માનવું જોઈએ.” મૌર્યપુત્રની શંકાનું સમાધાન થયું. તેઓ ત્યાં જ, એ જ સમયે ભગવાનના શિષ્ય બની ગયા. ભગવાનના મુખે સાંભળીને, ગણધરોએ લિપિબદ્ધ કરેલા તત્ત્વજ્ઞાનમાં, દેવો અને દેવલોક સંબંધી અસંખ્ય વાતો આજે પણ આગમોમાં વાંચવા મળે છે આગમોમાં દેવો અને દેવલોક : જેનાગમમાં દેવો અંગે અને દેવસૃષ્ટિ અંગે એટલી વિસ્તારથી અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ માહિતી મળે છે કે જે વાંચતાં બુદ્ધિ અટકી જાય છે! અલબતુ, વૈદિક શ્રી સમરાદિત્ય મહાકથા ૪૭ For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy