SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ-૧, વર્ગ અગ્નિશર્માનું મૃત્યુ થયું, તેનો જીવ “વિદ્યુતકુમાર' નામનો ભવનપતિ-દેવ થયો. એટલે કે “ભવનપતિ' નામની દેવયોનિમાં ઉત્પન્ન થયો. ગુણસેનનું મૃત્યુ થયું. તેનો જીવ પહેલા “સૌધર્મ” ના દેવલોકમાં વૈમાનિક-દેવ થયો. એટલે કે “વૈમાનિક' નામની દેવ-યોનિમાં ઉત્પન્ન થયો. આ મહાકથાના પ્રારંભમાં, પ્રથમ ખંડમાં જ્યારે તમે આ હકીક્ત વાંચશો ત્યારે કદાચ તમારા મનમાં શંકા ઉત્પન્ન થશે : શું દેવ-લોક છે ખરો? દેવોનું સાચોસાચ અસ્તિત્વ છે ખરું?' આવી શંકા, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના એક શિષ્યને પણ જાગી હતી. ભગવંતે તેની શંકા કેવી રીતે દૂર કરી હતી, તેનું વર્ણન પ્રાચીન શાસ્ત્રોમાં મળે છે. મગધ સામ્રાજ્યની “અપાપાપુરી નગરીમાં “સોમિલ' નામનો શ્રીમંત બ્રાહ્મણ યજ્ઞ' કરાવી રહ્યો હતો. એ યજ્ઞમાં ભાગ લેવા માટે ગામે-ગામથી ઘણા વિદ્વાન બ્રાહ્મણો, શ્રદ્ધાવાન બ્રાહ્મણો અને યાચક બ્રાહ્મણો અપાપાપુરીમાં પહોંચ્યા હતા. એ કાળે અને એ સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, જુવાલુકા નદીના કિનારેથી જ્યાં તેઓશ્રીને કેવલ્યની પ્રાપ્તિ થઈ હતી) વિહાર કરી આપાપાપુરી પધાર્યા હતા. નગરની બહાર મહાસેન' નામના ઉપવનમાં તેઓ રહ્યા હતા. દેવોએ સમવસરણની રચના કરી હતી. સોમિલના યજ્ઞમાં મુખ્ય ૧૧ શ્રેષ્ઠ વિદ્વાન બ્રાહ્મણો ઉપસ્થિત થયેલા હતા. ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિત, મૌર્યપુત્ર, અર્કપિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ. આ દરેક વિદ્વાનના મનમાં કોઈ ને કોઈ તત્ત્વની શંકા હતી. દરેકને પતાની વિદ્વત્તાનું અભિમાન હોવાથી પોતાની તત્ત્વવિષયક શંકા પ્રગટ કરતા ન હતા. એક પછી એક એ વિદ્વાનો શ્રમણ ભગવાન મહાવીરસ્વામી પાસે મહાસન વનમાં જાય છે. ભગવાન એમની શંકાને જાણે છે, કહે છે અને સમાધાન કરે છે. એક પછી એક બ્રાહ્મણ વિદ્વાન ભગવાનના શિષ્ય બની જાય છે. એ અગિયાર બ્રાહ્મણ વિદ્વાનો, ભગવાનના ૧૧ ગણધરો એટલે કે પ્રમુખ શિષ્યો કહેવાયા. તેમાંનાં “મૌર્યપુત્ર' નામના વિદ્વાન બ્રાહ્મણને ‘દેવ” અંગે શંકા હતી. જ્યારે તેઓ સમવસરણમાં આવ્યા, ભગવંતે તેમને બોલાવ્યા અને કહ્યું : મહાનુભાવ, તારા મનમાં “દેવ છે કે નહીં?” એવી શંકા છે ને?” શ્રી સમરાદિત્ય મહાકથા sau For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy