SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ મહાજનોને રાજમહેલ તરફ જતા જોયા..સહુની ગંભીર મુખમુદ્રા જોઈ.... તે વિચારમાં પડી ગયો. “શું પેલો.. અગ્નિશર્મા મરી ગયો હશે? કાલે શિકારી કૂતરાએ એને લોહીલુહાણ કરી નાંખ્યો હતો... જો એ મરી ગયો હશે... તો તો અમારે આ નગરમાંથી ભાગે જ છૂટકો છે.. લાવ, હું કૃષ્ણકાંતને મળું,' શત્રુઘ્ન તરત જ કૃષ્ણકાન્તની હવેલીએ પહોંચ્યો. ત્યાં ભાગ્યયોગે ઝેરીમલ પણ મળી ગયો. ત્રણે મિત્રો ભેગા થઈ ગયા. શત્રુઘ્ન પૂછ્યું : પેલા અગ્નિશર્માના કોઈ સમાચાર?” એ એના ઘરમાં નથી. એની શોધખોળ ચાલી રહી છે...' આપણા ઉપર જ શંકા આવી હશે? બીજા કોના પર આવે? આપણે જ એને ઉપાડી લાવીએ છીએ, એ જગજાહેર છે.” પરંતુ આજે તો આપણે નથી ઉપાડી લાવ્યા ને? કોણ ઉપાડી ગયું હશે, એ આપણે વિચારવું પડશે ને?' “શું ગુણસને બીજા કોઈ માણસો દ્વારા તો....” સંભવ ખર... આપણે તો ના જ પાડી હતી. હવે ત્રણ-ચાર દિવસ એને વિશ્રામ આપવાનું કહ્યું હતું. કુમારને કદાચ એ વાત ન ગમી હોય... ‘તો હું મહેલમાં જઈને તપાસ કરું?' કૃષ્ણકાંતે પૂછ્યું. મને લાગે છે કે મહેલમાંથી આપણને બોલાવવા કોઈ સેવક અહીં આવ્યો સમજો. પરિસ્થિતિ ગંભીર લાગે છે...” શત્રુઘ્ન કહ્યું. હા, જો પેલો મરી ગયો હશે તો મહાજનને મોટું દેખાડવા જેવું નહીં રહે.” ઝેરીમલ બોલ્યો. “અરે, મહાજન આપણને ચારેયને શૂળીએ ચઢાવી દે....” ના, ના, મહારાણી આપણો બચાવ કરશે...” ત્રણે મિત્રો ચિંતિત બન્યા. તેમના હૃદયમાં ભય પેસી ગયો. મહાજનોની સત્તાને તેઓ જાણતા હતા. તેમણે પોતે કરેલા અપરાધોને પણ તેઓ જાણતા હતા. ૦ ૦ ૦ મહારાજા, કુમારે અને એમના મિત્રોએ આપની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. ગઈ કાલે પેલા બ્રાહ્મણપુત્રને તેમણે લોહીલુહાણ કરીને નગરની બહાર જીર્ણ મંદિરના ઓટલા પર ફેંકી દીધો હતો.' ૩૨ ભાગ-૧ ૪ ભવ પહેલો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy