SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir TGS લતા-ગુલ્મોથી ભરેલી વાંકી-ચૂંકી વીથીઓને પાર કરીને શિખીકુમાર એક વાવડીના કિનારે પહોંચ્યા. વાવડીમાં એક શતદલ કમલ ખીલ્યું હતું. એ કમલની ભીની-ભીની સુગંધ ત્યાં ફેલાઈ રહી હતી. વાવના કિનારે સઘન વૃક્ષોની છાયા હતી. તે શીતલ છાયામાં શિખી મુનીંદ્ર ક્ષણભર ચૂપચાપ ઊભા રહી ગયા. તેઓ વિચારી રહ્યા હતા, શા માટે મારે માતાનો ભય રાખવો જોઈએ? શા માટે ગુરુદેવ મારી આટલી બધી ચિંતા કરે છે? ખેર, મનુષ્યને જેના પર પ્રેમ હોય છે તેની ચિંતા કરે જ છે. પિતાજીને મારા પર પ્રેમ છે માટે તેઓ મારી ચિંતા કરવાના, ગુરુદેવને મારા પર અત્યંત વાત્સલ્ય છે, એટલે તેઓ પણ મારી ચિંતા કરવાના, હું એમને કેમ કર્યું કે તમે મારી ચિંતા ના કરો. એ અવિનય કહેવાય... પરંતુ મારા મનને નથી ગમતું કે કોઈ મારી ચિંતા કરે. સાચી વાત છે કે માતા મારા પ્રત્યે અકારણ દ્વેષ રાખે છે, અકારણ વેરભાવ રાખે છે. પરંતુ કોઈપણ કાર્ય, કારણ વિના નથી બનતું. ભલે, આ જનમમાં માતાના વેરભાવનું કોઈ કારણ નથી સમજાતું કે નથી દેખાતું. મારા કારણે માતાને કોઈ દુ:ખ થયું હોય કે માતાનો કોઈ સ્વાર્થ ઘવાયો હોય, તો તો સકારણ દ્વેષ થાય, સકારણ વેરભાવ જન્મે. એવું તો કંઈ થયું નથી. અવશ્ય, પૂર્વજન્મોની કથામાં આ વેરભાવનું કારણ... કેષભાવનું બીજ પડ્યું હશે અને બીજ ધરતીમાં ઘરબાયેલું હોય, બહાર ના દેખાય. પૂર્વજન્મોની કથા તો હું કેવી રીતે જાણી શકું? હા, કોઈ તીર્થકર ભગવંતનું સાન્નિધ્ય મળી જાય... જેવી રીતે મારા ગુરુદેવને તીર્થંકર પરમાત્મા મળી ગયા હતા! અથવા તો કોઈ અવધિજ્ઞાની કે શ્રુતકેવલી મળી જાય તો પૂછી શકાય. જાણી શકાય કોઈ કારણ તો એના નિવારણનો ઉપાય શોધી શકાય. માતાનો પ્રગાઢ દ્વેષભાવ દૂર કરી શકાય. વેરભાવનાને તેના હૃદયમાંથી ઉખેડીને બહાર ફેંકી શકાય. તો એના ભવિષ્યના જન્મો સુખમય રહે. જ્યાં સુધી એનું નિર્વાણ ના થાય ત્યાં સુધી એને સારા જન્મો મળતા રહે. નહીંતર એ બિચારી અજ્ઞાની માતા દુર્ગતિઓમાં જન્મ-મરણ કરતી રહેશે. પરવશપણે ઘોર વેદનાઓ સહતી રહશે. એને જીવતાંય ના આવડ્યું. મરતાં પણ નહીં આવડે...! જે મનુષ્ય પોતાના જીવનકાળમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કરતો રહે છે... તેને મૃત્યુ સમયે પણ એવું જ આર્ત-રૌદ્ર ધ્યાન આવે છે... એ રિબાઈ રિબાઈને મરશે. મરીને દુર્ગતિમાં જશે... શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy