SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરી દીધો. સાધુજીવન એટલે જ્ઞાન-ધ્યાનનું જીવન, જિનોક્ત તત્ત્વોને સમજવાનાં, વિચારવામાં, યાદ રાખવાની અને એના રહસ્યાર્થોને પામવાનાં.. તે પછી એ જિનોક્ત તત્ત્વો સુયોગ્ય, સુપાત્ર મનુષ્યોને આપવાનાં, એ અવિરત પરંપરા ચાલતી રહે! જીવનપર્યત ચાલતી રહે! જેવી રીતે સાધુઓ જ્ઞાન-ધ્યાનમાં લીન રહે. તેવી રીતે સાધ્વીઓ પણ ગુરુઆજ્ઞામાં રહીને જ્ઞાન-ધ્યાનમાં લીન રહે. આચાર્ય વિજયસિંહ વિશાળ સાધ્વીસમુદાયનું યોગક્ષેમ કરતા હતા, અનુશાસન કરતા હતા. આચાર્યદેવ “શૃંગાર તિલક' નગરના તિલક-ઉદ્યાનમાં બિરાજમાન હતા. સાધુઓ ઉદ્યાનમાં બાંધવામાં આવેલી કુટિરોમાં રહેલા હતા. સાધ્વીઓ એમની મર્યાદા મુજબ નગરમાંથી યોગ્ય સમયે આવતી, યોગ્ય સમયે ચાલી જતી. સૂર્યોદય થવાની તૈયારી હતી. આકાશ સ્વચ્છ હતું. પૂર્વ દિશા લાલ રંગથી લેપાઈ ગઈ હતી. ઉદ્યાનમાં પ્રકૃતિએ અભિનવ શૃંગાર સજ્યો હતો. ત્યાં સાધ્વીવૃંદે ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. પ્રકૃતિનું સૌન્દર્ય જોઈને સાધ્વીવૃંદ મુગ્ધ થઈ ગયું. સાધ્વી કમલિની બોલી ઊઠી : “જુઓ તો પ્રકૃતિનું કેવું સૌન્દર્ય છે! અહીં કેટલી શાન્તિ છે. ઉલ્લાસ છે.... અને સૌન્દર્ય છે!” બીજી એક સાધ્વી બોલી : “સાધ્વી કમલિની, મને તો પ્રકૃતિમાં કોઈ સુંદરતા નથી દેખાતી!' “અરે, શું આપને કોઈ સુંદરતા નથી દેખાતી? આશ્ચર્ય! શું તમે સત્ય બોલો છો કે મારી હાંસી ઉડાવો છો?” સાચુ કહું છું આર્ય! તમે કહો છો કે પ્રકૃતિ સુંદર છે, મને પ્રકૃતિ કુરૂપ દેખાય છે!' સાધ્વી કમલિની મૌન રહી. સાધ્વીવૃંદે આચાર્યદેવની પાસે પહોંચીને વંદના કરી. કુશળ પૃચ્છા કરી. ત્યાંથી સાધ્વીવૃંદ આચાર્ય શિખીકુમાર પાસે ગયું. વંદના કરી, કુશળ પૃચ્છા કરી અને આચાર્યની અનુમતિ લઈ વિનયપૂર્વક સાધ્વીએ ત્યાં ભૂમિ પર બેસી ગઈ. બે-ચાર ક્ષણ વિશ્રામ લીધા પછી પહેલો પ્રશન સાધ્વી કમલિનીએ પૂછ્યું : ભગવન, પ્રકૃતિ પૂર્ણ છે કે અપૂર્ણ?” “આર્ય, પ્રકૃતિ અપૂર્ણ છે..' સાધ્વી આશ્ચર્યથી બોલી ઊઠી : “શું પ્રકૃતિ અપૂર્ણ હા આર્ય, પ્રકૃતિ અપૂર્ણ હોવાના કારણે તો મનુષ્ય કૃત્રિમતાનો સહારો લીધો છે. ઠંડીના દિવસોમાં.. પ્રકૃતિના આ સુંદર સ્થાનોની કુરૂપતા જુઓ.. ધુમ્મસ છવાયેલું રહે છે. અત્યંત શીતલ વાયુ વાય છે... ઠંડીથી શરીર ધ્રુજવા લાગે છે...! ગરમીના દિવસોમાં મધ્યાહ્નકાળે એટલી લૂ વાય છે કે શરીર બળવા માંડે છે. પરસેવાથી શરીર ૪૨ ભાગ-૧ ( ભવ ત્રીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy