SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખરેખર, એવું જ છે એ આ ઉદ્યાન! મહામંત્રીએ પિંગલની વાતમાં સૂર પુરાવ્યો... અને તેઓ રથમાંથી ઊતર્યા. પાછળ પિંગલ ઊતર્યો.. પરિચારકો અને પરિચારિકાઓ ઊતરી.. અશ્વારોહી સૈનિકો અશ્વ પરથી નીચે ઊતર્યા.. સહુ બ્રહ્મદરની પાછળ ચાલ્યા. આચાર્યદેવ વિજયસિંહ, અશોકવૃક્ષની નીચે એક કાષ્ઠાસન પર બેઠા હતા. તેમની પાસે બે તરુણ મુનિવરો બેઠા હતા.. અને આચાર્યની પરિચર્યા કરી રહ્યા હતા. બ્રહ્મદરે મસ્તકે અંજલિ જોડીને મયૂએણ વંદામિ..” કહ્યું. આચાર્યે ધર્મલાભનો આશીર્વાદ આપી કહ્યું : “હે બ્રહ્મદત્ત, તમે સુખપૂર્વક અહીં આવ્યા?” ભગવંત, આપનો અમારા પર અનુગ્રહ છે.. હજારો વર્ષ પછી પણ આપને આ સેવકનું નામ સ્મૃતિમાં છે! મારું અહોભાગ્ય!” મહામંત્રીએ પિંગલ અને પરિવાર સાથે વિધિવત્ વંદના કરી. પછી આસપાસ જોવા લાગ્યા. આચાર્યે કહ્યું : “આચાર્ય શિખીકુમાર, આ બાજુ પૂર્વ તરફ બેઠા છે. તમે ત્યાં જઈ શકશો.' સહુ પૂર્વ દિશા તરફ ચાલ્યા. પચાસ પગલાનાં અંતરે આચાર્ય શિખીકુમાર વટવૃક્ષની નીચે કાષ્ઠાસન પર બેઠા હતા.. બ્રહ્મદત્ત શિખીકુમારને એકીટસે જોતા રહ્યા.. ભાવવિભોર થઈ ગયા.. આંખો હર્ષાશ્રુથી ભરાઈ ગઈ. ગદ્ગદ સ્વરે તેઓએ મસ્તકે અંજલિ રચીને “મસ્થળ વંતામિ...” બોલીને વંદના કરી. પિંગલે પણ ભાવવિભોર થઈ વંદના કરી. સાથે આવેલા પરિચારકો અને પરિચારિકાઓ નવી હતી. પિંગલે શિખીકુમારનો પરિચય આપ્યો. તે સહુએ પણ જમીન પર મસ્તક મૂકીને વંદન કરી... શિખીકુમારે ‘ધર્મલાભ' નો આશીર્વાદ આપ્યો. સહુ વિનયપૂર્વક જમીન પર બેઠાં. હે મહામુનિ .. હજારો વર્ષોથી હૃદયમાં સંઘરી રાખેલી ઇચ્છા આજે ફળી. તેમાં નિમિત્ત બન્યો છે આ પિંગલ!' મહામંત્રીએ હર્ષિત વદને વાત કરી. પિંગલે કહ્યું : “હે આચાર્યદેવ, આપનાં દર્શન કરવાની પ્રબળ ભાવનાને મારા આ પૂજ્ય મહાપુરુષે ફળવતી બનાવી છે... મુનિવર, આપના સંયમપૂત દેહે શાતા વર્તે છે ને?” મહાનુભાવ, પરમાત્માના અચિંત્ય અનુગ્રહથી અને ગુરુદેવની પરમ કૃપાથી સંયમયાત્રા સુખપૂર્વક ચાલે છે. શરીર-સ્વાચ્ય અનુકૂળ છે.' એક ક્ષણ અટકીને શિખીકુમારે પૂછ્યું : “કૌશામ્બીની પ્રજા નિર્ભય-નિશ્ચિતપણે ત્રણે પુરુષાર્થમાં પ્રવૃત્ત હશે? રોગાદિ ઉપદ્રવોથી મુક્ત હશે? રાજ્યમાં સર્વત્ર સુકાળ હશે?” આપે કહ્યું એમ જ છે. વિશેષમાં કૌશામ્બીની પ્રજા અવારનવાર આપને યાદ કરે છે. આપની કુશળતા પૂછે છે. પ્રાસંગિક વાતો કરીને, મહામંત્રી વગેરે પ્રભાતિક કાર્યો માટે નગરમાં ગયા. ૪૫૮ ભાગ-૧ * ભવ ત્રીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy