SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા પર વિશ્વાસ કરો. શિખી જેમ આપનો પુત્ર છે. એમ મારો પણ શિષ્ય છે...” “પિંગલ, તારી વાત યથાર્થ છે. તું શીધ્ર જા, અને કુમારના વૃત્તાંતની મને જાણ કરે.’ પિંગલ ત્યાંથી ચાલ્યો ગયો. મહામંત્રી પુનઃ વિચારોના ઝંઝાવાતમાં ફસાયા. પુત્ર ઉપર અગાધ પ્રેમ હતો. વર્ષોથી પુત્રને પ્રેમવારિથી પોપ્યો હતો. અપ્રતિમ સૌન્દર્ય અને અપાર ગુણોની સમૃદ્ધિ ધરાવનાર પુત્રના વિરહમાં પિતાની કેવી કરુણ દશા થાય.. તે તો પિતા જ અનુભવે. મૃત્યુની વેદના કરતાં, એ વેદના લાખ ગણી વધારે હોય છે. એમાં વળી, શિખી તો માતાથી તરછોડાયેલો અને તિરસ્કારાયેલો છે.. એટલે બ્રહ્મદરે એને માતાનો પ્રેમ પણ આપેલો હતો. દિવસનો ત્રીજો પ્રહર પૂર્ણ થવામાં હતો. પિંગલ પાછો આવી ગયો. તેણે મહામંત્રીને કહ્યું : હે પૂજ્ય, હું ઇન્દ્રશર્માજીની હવેલીમાં જઈ આવ્યો. દેવી જાલિનીને પણ મળી આવ્યો. વાતો કરી.. મને લાગ્યું કે કુમાર ત્યાં ગયો નથી.. કે કુમારનું અપહરણ પણ કરવામાં આવ્યું નથી... વિગતવાર વાત પછી કરીશ, હવે આપણે કુમારને બીજાં સ્થાનોમાં શોધવો જોઈએ. કદાચ એ બાજુનાં ગામોમાં ના ગયો હોય...?' ‘પિંગલ, કોટવાલ હવે આવો જોઈએ. તેના સમાચાર સાંભળીને પછી યોગ્ય કરીએ...' ‘આપની વાત સમુચિત છે.” ચોથા પ્રહરનો પ્રારંભ થયો અને મારતે ઘોડે કોટવાલે હવેલીના પ્રાંગણમાં પ્રવેશ કર્યો. ઘોડા પરથી ઊતરીને તે દોડતો મહામંત્રી પાસે આવ્યો. ‘હે પૂજ્ય, કુમાર મળી ગયા છે!” મળી ગયો કુમાર? ક્યાં મળ્યો? તારી સાથે કેમ ના લાવ્યો? કુમાર કુશળ તો છે ને? એણે ભોજન...?” એક સાથે અનેક પ્રશનો બ્રહ્મદત્તે કર્યા. પિંગલે મહામંત્રીના. ખભે હાથ મૂક્યો. કોટવાલે પ્રણામ કરીને કહ્યું : હું પૂર્વ દિશાના અશોકવન તરફ ગયો. મને વિચાર આવ્યો. પ્રભાતમાં રાજપરિવારનાં ઘણાં યુવક-યુવતીઓ અશોકવનમાં ફરવા જાય છે. મેં અશોકવનમાં પ્રવેશ કર્યો. ચારે દિશામાં દૃષ્ટિને લંબાવતો હું કુમારને શોધવા લાગ્યો. ત્યાં પશ્ચિમ દિશામાં મેં સેંકડો સાધુપુરુષોને જોયા, હું એ તરફ ગયો. મને વિચાર આવ્યો - જિનમતના સાધુઓ જ્ઞાની હોય છે... એમને પૂછી જોઉં કે “કુમાર ક્યાં હશે. ક્યાંથી મળશે.? પરંતુ જ્યાં હું આચાર્યની પાસે પહોંચ્યો. મેં ત્યાં કુમારને શાન્ત ભાવે બેઠેલા જોયા! હે પૂજ્ય, મેં ત્યાં આચાર્યને જોયા... ખરેખર, એમના મુખમાં શ્રી સમરાદિત્ય મહાકથા ४१५ For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy