SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Luon મધ્યાહ્ન કાળે બ્રહ્મદત્ત, રાજસભામાંથી ઘરે આવ્યા. રોજની ટેવ મુજબ તેમણે ઘરમાં પ્રવેશતાં જ “શિખી...' ના નામની મધુર સ્વરમાં બૂમ પાડી. રોજ.. પિતાજીનો સ્વર કાને પડતાં જ શિખી દોડી આવતો અને પિતાને વળગી પડતો. બ્રહ્મદત્ત શિખીને પોતાની છાતીએ લગાડીને તેના માથે ચુંબન કરતા. તેના કોમળ ચહેરા પર વાત્સલ્યભર્યો હાથ ફેરવતા. પછી બંને પિતા-પુત્ર પોત-પોતાના ખંડમાં જતા. બ્રહ્મદત્ત સ્નાનાદિથી પરવારી વસ્ત્રપરિવર્તન કરી લેતા. નોકર ભોજન માટે નિમંત્રણ આપતો, એટલે બ્રહ્મદત્ત કહેતા : “બેટા શિખી, ચાલો ભોજન કરી લઈએ.” પિતા-પુત્ર સાથે બેસીને ભોજન કરતા. ભોજન કરતાં કરતાં બ્રહ્મદત, શિખીને રાજસભામાં થતી અવનવી વાતો સંભળાવતા કોઈ વિચિત્ર ઘટના બની હોય તો તે કહી સંભળાવતા. રાજસભામાં, ક્યારેક ક્યારેક બહારગામથી આવતા કલાકારો, પોતાની અવનવી કલાઓનું પ્રદર્શન કરતા. પહેલેથી જો બ્રહ્મદત્તને જાણ થતી, તો તેઓ શિખીને કહેતા - “આવતી કાલે બેટા, તારે મારી સાથે રાજસભામાં આવવાનું છે.' શિખી બ્રહ્મદત્તની સાથે રાજસભામાં જતો. ક્યારેક રાજસભામાં પરદેશી વિદ્વાનો આવતા. કશામ્બીની રાજસભામાં તેઓ સ્થાનિક વિદ્વાનો સાથે વાદ-વિવાદ કરતા. શિખીકુમારને આવા વાદ-વિવાદ સાંભળવા ખૂબ ગમતા. કૌશામ્બીની રાજસભામાં પિંગલ નામનો શ્રેષ્ઠ બ્રાહ્મણ વિદ્વાન બેસતો હતો. મહામંત્રી બ્રહ્મદd (બ્રહ્મદત્તના પિતા બુદ્ધિસાગરના અવસાન પછી રાજાએ બ્રહ્મદત્તને મહામંત્રી-પદ આપ્યું હતું) જ એ પિંગલને રાજસભામાં સ્થાન અપાવેલું, એટલે પિંગલ હમેશાં બ્રહ્મદત્તને પૂજ્ય માનતો હતો. પિંગલ વાદવિવાદ કરવામાં કુશળ હતો. તે ધર્મશાસ્ત્રોને જાણતો હતો, પરંતુ એ માનતો ન હતો આત્માને કે પરમાત્માને! પરલોકમાં પણ એની શ્રદ્ધા ન હતી. એ નાસ્તિક મતનો પુરસ્કર્તા હર્તા.. છતાં જ્યારે વાદ-વિવાદ થતો, ત્યારે બહારનો વિદ્વાન નાસ્તિક હોય તો પિંગલ આસ્તિકતાના અકાટ્ય તર્કો કરતો. શિખીકુમાર એકાગ્રચિત્તે આ બધી ચર્ચાઓ સાંભળતો. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે કે કેમ? આત્મા એક છે કે અનંત છે? + આત્મા આદિ છે કે અનાદિ? + આત્મા ચેતન છે કે જડ છે? આત્મા પંચભૂતમાંથી ઉત્પન્ન થાય છે કે જુદો જ છે? શ્રી સમરાદિત્ય મહાકથા ૪૧૧ For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy