SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યદેવે વિચાર્યું : “આ કુમાર કેવો વિચક્ષણ છે? કેવા સારા પ્રશ્નો કરે છે! એ રૂપવાન છે... પ્રશાન્ત છે. ચતુરાઈપૂર્વક બોલે છે. અવશ્ય આ કુમાર મહાન કુળમાં જન્મેલો છે અને એનું ચિત્ત વૈરાગ્યથી વાસિત છે. સાધુધર્મ સ્વીકારવા માટે એ સર્વથા યોગ્ય છે. છતાં એને સાધુધર્મની કઠોરતાનો પણ ખ્યાલ આપવો જોઈએ.' આચાર્યદેવે કહ્યું : કુમાર, સાધુધર્મ સ્વીકારવા માટે તું તત્પર થયો, તેથી મને આનંદ થયો, પરંતુ સાધુધર્મનું પાલન ઘણું દુષ્કર છે. હું તને સાધુજીવનનો ખ્યાલ આપું છું. કે પહેલી વાત છે શત્રુ-મિત્ર પ્રત્યે સર્વદા સમભાવ રાખવાની. મહાવ્રતોનું પાલન કરવાનું હોય છે. છ વસ્ત્ર, પાત્ર, વગેરે ઉપકરણો ઉપર મમત્વ નહીં કરવાનું. રાત્રિમાં ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાનો. ૪૨ દોષ ટાળીને ભિક્ષા લાવવાની પાંચ દોષ ટાળીને ભોજન કરવાનું. આ પ્રમાણસર અને યોગ્યકાળે ભોજન કરવાનું. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવાનું. છે બાર પ્રકારનો તપ કરવાનો. * વિવિધ અભિગ્રહો લેવાના. સ્નાન નહીં કરવાનું. ભૂમિ ઉપર સૂવાનું. કેશનું લંચન કરવાનું. છે શરીરની શોભા નહીં કરવાની. ગુરુને પૂછીને જ બધાં કાર્ય કરવાનાં, ૨૨ પરીષહો સમતાભાવે સહન કરવાના, * વિવિધ ઉપસર્ગોને સમતાભાવે સહન કરવાના... * કુમાર, તું એમ સમજી લે કે બે હાથે મહાસાગરને તરવા જેવું આ શ્રમણજીવન છે. સ્વાદ વિનાના રેતીના કોળિયા ખાવા જેવું આ શ્રમણજીવન છે.' છે તલવારની તીક્ષ્ણ ધાર ઉપર ચાલવા જેવું આ શ્રમણજીવન છે. સૂક્ષ્મ પવનની કોથળી ભરવા જેવું દુષ્કર આ શ્રમણજીવન છે. - ગંગા-સિમ્પમાં સામા પૂરે તરવા જેવું આ શ્રમણજીવન છે. શ્રી સમરાદિત્ય મહાકથા 80c For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy