SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * પહેલું શીલ છે વિરતિ. * બીજું શીલ છે કષાયનિગ્રહ. * ત્રીજું શીલ છે બાર ભાવનાઓનું ચિંતન, * ચોથું શીલ છે શ્રદ્ધા અને સંવેગ. * પાંચમું શીલ છે નિષ્કામ ચિત્તથી સર્વ જીવો પ્રત્યે મૈત્રી. * છઠ્ઠું શીલ છે, ક્ષમા-નમ્રતા-સ૨ળતા-નિર્લોભતા. જે મનુષ્ય આ શીલધર્મનું પાલન કરે છે તે સદ્ગતિ પામે છે, દુર્ગતિમાં ક્યારેય જતો નથી. શિખીએ પૂછ્યું : ‘ભગવંત, શું આ છયે પ્રકારનાં શીલ પાળે, તે શીલવાન કહેવાય?' ‘એ તો કહેવાય જ, પરંતુ જે ઓછાં-વત્તાં પાળે, તે પણ શીલવાન કહેવાય. આ રીતે શીલધર્મ સમજાવીને હવે તને તપધર્મ સમજાવું છું. કુમાર, ત્રણ ભુવનના નાથ તીર્થંકરોએ બાર પ્રકારનો તપધર્મ બતાવ્યો છે. ઉપવાસ, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા-આ છ પ્રકારનો બાહ્ય તપધર્મ છે, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ - આ છ પ્રકારનું આત્યંતર તપ છે. કુમાર, આ બાર પ્રકા૨ના તપધર્મનું શક્તિ મુજબ સેવન કરનાર જીવો મહાન સુખો પ્રાપ્ત કરે છે, અને દુઃખોનો નાશ કરે છે. હવે તને ભાવધર્મનું સ્વરૂપ સમજાવું છું : ૐ સમ્યગ્ દર્શન, જ્ઞાન અને ચારિત્રની ભાવનાઓ ભાવવી. * બાર પ્રકારની વૈરાગ્ય ભાવનાઓ ભાવવી. * તીર્થંકરી માનસ ભક્તિ કરવી. * સંસારની ઘૃણાસ્પદતાનું ચિંતન કરવું. * ગુણવાન સાધુપુરુષોના ગુણોની હાર્દિક અનુમોદના કરવી. * સર્વજ્ઞભાષિત ધર્મની ઉપાદેયતા વિચારવી. * મોક્ષના સુખની કલ્પનાઓ કરવી, * સ્વ-દોષોની ગર્હ કરવી, * કલ્પનાથી ગુરુ સમક્ષ સ્વ-દોષોને પ્રગટ કરવા. * સત્પુરુષોના પરિચયથી થતા લાભોનો વિચાર કરવો. શ્રી સમરાદિત્ય મહાકા For Private And Personal Use Only roy
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy