SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | વિશ્વાસઘાત - બીજી બાજુ તારી કલ્પના પણ નહીં હોય કે અમે તને આ જગા પર મળીશું! તને સપનામાં પણ જિનમતીનું દુશ્ચરિત્ર નહીં દેખાયું હોય... તને એ સાંભળવા મળ્યું!” ' મેં કહ્યું : “ગુરુદેવ, જે સાંભળ્યું તે સાવ ખોટું! કારણ કે એ સંભળાવનાર મંગલક હતો...” વત્સ, તારી વાત સાચી, પણ એકવાર તને એવું સાંભળવા તો મળ્યું ને? એ પણ મિત્ર પાસેથી! આ સંસાર જ એવો છે માટે ખેદ ના કરીશ. તું અમારી સાથે આવી શકશે. તને ઊંડો ઘા થયો છે. તેનો ઉપચાર પણ થાણેશ્વરમાં થઈ શકશે. અમે થાણેશ્વર જઈએ છીએ. નજીકમાં જ છે એ ગામ.' તે તેઓની સાથે થાણેશ્વર પહોંચ્યો. આચાર્ય ત્યાં માસકલ્પ કરવા રોકાયા તારી ઘા પણ રુઝાઈ ગયો ત્યાં તેં એક દિવસ આચાર્યને કહ્યું : “ગુરુદેવ શું મને જિનમતીના સાચા સમાચાર જાણવા મળશે?” આચાર્યે કહ્યું : “તને આજે જ સત્યવૃત્તાંત જાણવા મળશે. લક્ષ્મીનિલય નગરથી એક શ્રાવક અહીં વંદન કરવા આવ્યો છે તે તને સાચા સમાચાર આપશે. તને સમાચાર જાણવા મળ્યા કે જિનમતી એના પિતૃગૃહે છે અને તારી પ્રતીક્ષા કરે છે.' સમાચાર જાણીને તારું ચિત્ત સ્વસ્થ થયું. તારા મનનું સમાધાન થયું. તારા ચિત્તનો સંક્લેશ દૂર થયો. સાથે સાથે મંગલકના વિષયમાં તું વિષાદથી ભરાઈ ગયો. મેં વિચાર્યું : લક્ષ્મી-પર્વત ઉપરનો ખજાનો જોયો ત્યારથી એને લોભ જાગ્યો. મેં એને ખજાનો લેવાની ના પાડી... એટલે એ વખતે તો મારી વાત માની લીધી. પરંતુ એના મનમાંથી એ ખજાનો મળવાની ઇચ્છા ગઈ ન હતી. ઇચ્છા પ્રબળ થઈ હતી. હું એને ખજાનો ન લેવા દઉં.. માટે એણે મને મારી નાંખવાનો પ્રયત્ન કર્યો.. એણે દૂરથી આવતા સાધુઓને જોયા હશે... એટલે છરીનો એક જ ઘા કરીને તે ભાગી ગયો! જો એણે સાધુઓને ના જોયા હોત તો એ મારા ઉપર ઉપરા-ઉપરી છરીના ઘા કરી.... મને ત્યાં જ મારી નાંખત.. ખેર, મૃત્યુનો મને ભય નથી, પરંતુ સાધુધર્મની આરાધના કર્યા વિના હું મરી જાત... મારું મનુષ્યજીવન વ્યર્થ જાત... હું બચી ગયો... મને નવું જીવન મળ્યું છે. માટે હું સાધુધર્મ સ્વીકારી લઉં...' તને સાધુધર્મ સ્વીકારવાનો ભાવ જાગ્યો, સાથે જ જિનમતીનો વિચાર આવી ગયો : “હું એકવાર જિનમતીને મળી લઉં? એના મનમાં ઘણી ચિંતા હશે.' મને લેવા માટે કેમ કોઈ ના આવ્યું? એ જ મને લેવા આવવાના હતા... શું થયું હશે એમનું? શ્રી સમરાદિત્ય મહાકથા ૩૯૫ For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy