SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [RH] નિત્ય કર્મથી પરવારી બ્રહ્મદર રાજસભામાં ગયા. ઘરમાં નોકરો સાથે શિખીકુમાર હતો. તેનું મન અકળાયેલું તો હતું જ. તેણે મન દૃઢ કર્યું અને ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યો. એણે નોકરોને કહ્યું નહીં કે “એ ક્યાં જાય છે.” કૌશાંબીની બહાર, થોડે દૂર ‘અશોકવન હતું. શિખી એ અશોકવનમાં ગયો. તેની ઇચ્છા હતી અશોકવનમાં થોડો સમય પસાર કરી, તે બીજા નગર તરફ ચાલી નીકળશે. તેણે અશોકવનમાં પ્રવેશતાં જ પશ્ચિમ દિશામાં એક આલ્હાદક દશ્ય જોયું. એક ઘેઘૂર વટવૃક્ષની છાયામાં બેઠેલા મહાત્મા પુરુષને જોયા. તેમની આસપાસ સેંકડો સાધુઓને સાધનામગ્ન સ્થિતિમાં જોયા. શિખીને આ દશ્ય ગમી ગયું. - આચાર્યશ્રી વિજયસિંહ ૫૦૦ મુનિના સમુદાય સાથે કૌશાંબીમાં પધારેલા હતા. યુવાન વયના આચાર્યના મુખ પર તેજસ્વિતા હતી... તેઓ પ્રશાંત હતા, જ્ઞાની હતા. શિખીએ તેમને જોયા. તેને ગમ્યા... તેના મનમાં પ્રશ્ન ઊઠ્યો : આવા સવાંગસુંદર પુરુષે સાધુધર્મ કેમ સ્વીકાર્યો હશે? અલબત્ત, તેમણે જે કર્યું છે તે સારું જ કર્યું છે. આ સંસારમાં... આ ગૃહવાસમાં જીવોના સ્નેહ ક્ષણિક છે, ચંચળ છે... માટે તેમણે ગૃહવાસનો ત્યાગ કર્યો, તે તો સારું જ કર્યું છે... પણ તેમને વૈરાગ્ય થવાનું કોઈ કારણ તો હશે જ. એમની પાસે જઈને એમને પૂછ્યું..” શિખી વટવૃક્ષની પાસે ગયો. તેણે મસ્તકે અંજલિ રચીને આચાર્યદેવને વંદના કરી, આચાર્યદેવે તેને “ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. શિખી વિનયપૂર્વક આચાર્યદેવનાં ચરણોમાં બેઠો. આચાર્યદેવે શિખી સામે જોયું. તેમના મુખ પર સ્મિત રમવા માંડ્યું. શિખીનું હૃદય ખૂલી ગયું. તેણે વિનયથી પૂછયું : ‘ગુરુદેવ, આપ સર્વાંગસુંદર દેખાઓ છો. આપની પાસે વૈભવ હશે, સંપત્તિ હશે અને સાનુકૂળ સ્વજન-જનો પણ હશે....?' “વત્સ, તું કહે છે એ બધું હતું....” તો પછી એ બધાનો ત્યાગ કરી આપ સાધુ કેમ બની ગયા? એવી કોઈ ઘટના બની હતી આપના જીવનમાં, કે જેનાથી આપને વૈરાગ્ય થઈ ગયો?' ગુરુદેવ વાત્સલ્યભાવથી ભીના થયેલા સ્વરે કહ્યું : ‘કુમાર, તેં મારું શરીર જોયું.. એની સુંદરતા જોઈ... તને એ ગમ્યું. મને પણ પહેલાં ગમતું હતું, પરંતુ જ્યારે શરીરની અંદર જોવાની જ્ઞાનદૃષ્ટિ મળી, ત્યારે અંદર 39૮ ભાગ-૧ ( ભવ ત્રીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy