SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘હું કહું છું કે પુત્ર આ ઘરમાં રહેશે, આપણી સાથે રહેશે...” “તો પછી હું નહીં રહું તમારા ઘરમાં. હું મારા પિતાના ઘેર જઈશ.' પછી?' જ્યાં સુધી શિખી આ ઘરમાં હશે ત્યાં સુધી નહીં આવું પાછી....” જેવી તારી ઇચ્છા. આ તારું ઘર છે. ઇચ્છા થાય તો આવજે..” અને ખરેખર માતા ચાલી ગઈ પિતૃગૃહે! મારા પિતા... મારી ખાતર કેટલું કષ્ટ સહન કરે છે? રાત્રે મને એમના ખોળામાં લઈ પિતાજી કેટલું રડ્યા હતા? બોલ્યા હતા : “વત્સ, તારી માતાના શબ્દો તારા મન પર ન લઈશ. એનો વિચાર જ ના કરીશ. આ ભવમાં એનો સ્વભાવ સુધરે - એમ મને નથી લાગતું. આપણે સહન કરીને જીવવાનું છે..” ત્યારે મેં કહ્યું : “પિતાજી, મારા નિમિત્તે જ મારી માતા આપની સાથે ઝઘડા કરે છે, આપને ત્રાસ આપે છે તો હું ચાલ્યો જાઉં..? આપ આશીર્વાદ આપો... મને આ વિશાળ પૃથ્વી પર ગમે ત્યાં આશ્રય મળી રહેશે.' મારી આ વાતથી પિતાજીએ કેવું કલ્પાંત કર્યું હતું? આંસુઓથી તેમણે મારું માથું ભીંજવી દીધું હતું. એમનો મારા પર અપાર પ્રેમ છે... મને પણ એમના ઉપર એટલો જ સ્નેહ છે. એમ તો માતા પ્રત્યે પણ મને સ્નેહ છે. મને એના પ્રત્યે કોઈ દુર્ભાવ નથી. એને એના કપાયો સતાવે છે, મને મારા કર્મો નડે છે... કષાયથી પાપકર્મો બંધાય છે. પાપકર્મોથી સંસાર પરિભ્રમણ વધે છે - અને તેથી દુઃખ-ત્રાસ અને વેદનાઓ વધે છે. કેવી રીતે હું મારી માતાને આ વાત સમજાવું? એને સમજવું જ નથી, પછી કેવી રીતે સમજાવી શકાય? આટલાં વર્ષોમાં પિતાજી પણ મારી માતાને નથી સમજાવી શક્યા... તો પછી હું કેવી રીતે સમજાવી શકું? અશક્ય લાગે તો પછી શું કરું? ચાલ્યો જાઉં ઘર છોડીને? જો ચાલ્યો જાઉં છું... તો પિતાજીનું હૃદય દુભાઈ જશે... તેઓ ખૂબ દુઃખી થઈ જશે... હા, માતા તરફથી એમને શાન્તિ રહેશે. મારા નિમિત્તે થતા ઝઘડા બંધ થઈ જશે.... માતા ખૂબ રાજી થઈ જશે. માતાજી રાજી થશે.” પિતાજી નારાજ થશે... કોને રાજી કરું? કોને નારાજ કરું? મારા પ્રત્યે જેમને અપાર સ્નેહ છે તેમને નારાજ કરું? અને જેને હું દીઠે નથી ગમતો, મારા પર જેને તીવ્ર રોષ છે, તેને રાજી ક? શું કરું?' મારા નિમિત્તે... મારા ચાલ્યા જવાથી, પિતાજી દુઃખી થશે, પરંતુ મારી માતા તરફનું દુઃખ નહીં રહે. મારા વિરહનું દુઃખ, જેમ જેમ દિવસો પસાર થતાં જશે તેમ 398 ભાગ-૧ ૪ ભવ ત્રીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy