SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વાત છે પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના કૌશાંબી નગરની. કૌશાંબીના મહામંત્રી બુદ્ધિસાગરના પુત્રનું નામ બ્રહ્મદત. એની પત્નીનું નામ જાલિની. આ જાલિની એટલે કુમાર આનંદનો જીવ! જે કુમાર આનંદે પોતાના પિતા સિંહરાજાની હત્યા કરી હતી. એ કુમાર મરીને નરકમાં ઉત્પન્ન થયો હતો. નરકનું આયુષ્ય પૂર્ણ થતાં તે તિર્યંચ યોનિમાં જન્મ્યો હતો. અસંખ્ય વર્ષ તેણે તિર્યંચયોનિમાં ભવો કર્યા હતા... ઘોર દુઃખ, ત્રાસ અને વેદનાઓ સહતાં હતાં એનાં ઘણાં પાપકર્મો નાશ પામ્યાં હતાં. તેથી તેનો જન્મ કૌશામ્બીના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એના પિતા હતા ઇન્દશર્મા અને માતા હતી શુભંકરા, તેનું નામ રાખવામાં આવ્યું હતું જાલિની. તેનામાં રૂપ હતું, પણ ગુણ ન હતા. તેનામાં યૌવન હતું, પણ સમતા ન હતી. બાલ્યકાળથી તે ક્રોધી હતી, મનસ્વી હતી, ઉદ્ધત હતી. તેનાં લગ્ન, મહામંત્રી બુદ્ધિસાગરના પુત્ર બ્રહ્મદત્ત સાથે કરવામાં આવ્યાં હતાં. બ્રહ્મદત્તમાં રૂપ અને ગુણનો સમન્વય થયો હતો. તે યુવાન હતો પણ ઉદ્ધત ન હતો. તે ધનવાન હતો છતાં મનસ્વી ન હતો. તેનામાં પ્રેમાળતા હતી, ગંભીરતા હતી, વ્યવહારદક્ષતા હતી. માટે જ ક્રોધી સ્વભાવની અને ઔદ્ધત્વપૂર્ણ વ્યવહાર કરનારી જાલિની સાથે તેની જીવનયાત્રા ચાલતી રહી. કેટલાંક વર્ષો પસાર થઈ ગયાં. સંસારનાં વૈષયિક સુખો ભોગવતાં રહ્યાં... એક રાતે જાલિનીને સ્વપ્ન આવ્યું : “સોનાનો કલાત્મક કલશ. પાણીથી ભરેલો... એના મુખમાં પ્રવેશ કરે છે, ઉદરમાં પહોંચે છે. અને તરત પાછો બહાર આવે છે.... પછડાય છે જમીન પર અને ભાંગી જાય છે...” તે ગભરાઈ ગઈ, જાગી ગઈ... ને સ્વપ્ન અંગે વિચારવા લાગીહર્ષ અને વિષાદની મિશ્ર લાગણીઓ અનુભવવા લાગી. એ રાતે જાલિની ગર્ભવતી બની હતી. સિંહ રાજનો જીવ દેવલોકમાં ગયો હતો. અસંખ્ય વર્ષોનું આયુષ્ય હતું. દેવલોકનાં દિવ્ય સુખો ભોગવીને, તે જીવ જાલિનીના ઉદરમાં અવતર્યો હતો! પૂર્વજન્મના પિતાપુત્ર, આ ભવમાં પુત્ર અને માતા બન્યા હતા. જાલિનીએ બ્રહ્મદત્તને સ્વપ્નની વાત ના કરી. બ્રહ્મદને એટલું જ જાણ્યું કે કાલિની ગર્ભવતી બની છે. તેને ખૂબ હર્ષ થયો, પરંતુ જાલિનીનું સોગિયું મોટું જોઈને, બ્રહ્મદર એની આગળ પોતાનો હર્ષ વ્યક્ત ના કરી શક્યો. પરંતુ બ્રહ્મદરને આ વાત ના સમજાઈ કે ઘણાં વર્ષો પછી જાલિની ગર્ભવતી થઈ હતી, તેને ભરપૂર આનંદ થવો જોઈતો હતો. છતાં એ કેમ ઉદાસ રહે છે? પરંતુ એણે જાલિનીને પૂછુયું નહીં. કેમ કે એ સ્ત્રી ક્યારેય પણ સીધી રીતે પ્રશનનો ઉત્તર આપવાનું શીખી શ્રી સમરાદિત્ય મહાકથા ૩પ૭ For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy