SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસરકારક ઔષધ શોધે છે. તેમણે આ જિનવચનના રસાયણનો પ્રયોગ કરવો જોઈએ. તેઓનો ફરીથી જન્મ નથી થતો. જેમને વૃદ્ધત્વ અકારું લાગે છે, ક્યારે પણ વૃદ્ધત્વ જેમને જોઈતું નથી, તેમણે આ જિનવચનના રસાયણનું નિયમિત સેવન કરવું જોઈએ. વૃદ્ધત્વ ઉપર યૌવનની છાયા પડશે! અને જેઓને મૃત્યુ પર વિજય મેળવવો છે... ક્યારે પણ મૃત્યુ ન આવે.. તેવી અમરસ્થિતિ પ્રાપ્ત કરવી છે, તેમણે જિનવચનોના રસાયણનો પ્રયોગ કરવો જોઈએ. સર્વજ્ઞ વીતરાગ એવા જિનેશ્વરોએ જીવસૃષ્ટિ પર આ મહાન ઉપકાર કર્યો છે. તેમનાં વચનો એકાંતે હિતકારી છે. કલ્યાણકારી છે. જે જીવો-મનુષ્યો એ વચનો પામે છે તેઓ ધર્મયૌવનને પામે છે. તેમનામાં નથી રહેતી દીનતા કે નથી રહેતી ઉદાસીનતા... તેઓ સદૈવ પ્રફુલ્લિત રહે છે... અને ચેતનવંત રહે છે. મને ગુરુદેવ ધર્મઘોષ જિનવચનોનું રસાયણા આપેલું છે. હું હમેશાં એ રસાયણનું સેવન કરું છું. પરિણામે અત્યારે પણ હું દીન-હીન નથી. કુમાર, નવમી વાત પણ “જિનવચન'ની જ કહું છું, તે સ્વસ્થ ચિત્તે સાંભળ : છે આ દુનિયામાં રાજાઓને પણ ભય સતાવતો હોય છે. ધનવાનોને ભય સતાવતો હોય છે. ક કલાકારો પણ ભયથી પીડાતા હોય છે, બળવાનોને પણ ભય હોય છે... સ્ત્રી-પુરુષ-બાળક સહુને કોઈ ને કોઈ ભય રહેલો હોય છે. પરંતુ જેઓ “જિનવચનને પામે છે, તેઓ નિર્ભય બને છે, તેમને ભય સતાવતો નથી. જિનવચન જ જીવોને અભય આપે છે... હું જિનવચનો પામીને જ નિર્ભય બન્યો છું. મને અભયની પ્રાપ્તિ થઈ છે. કે મને કોઈ શત્રુનો ભય નથી. મને કોઈ શસ્ત્રનો ભય નથી, મને કોઈ મનુષ્યનો ભય નથી. કે મને કોઈ દેવ-દાનવનો ભય નથી.... મારું અંતરાત્મા અભયનું પરમ સુખ અનુભવે છે. મેં જિનવચનોથી મારા વિચારોને રંગી નાંખ્યા છે. મેં જિનવચનથી મારી તમામ પ્રવૃત્તિઓને રંગી નાંખી છે... મારો આત્મભાવ પ્રશાંત બન્યો છે, કોઈપણ ભયથી મુક્ત થવા જિનવચનોનું ચિંતન કરવું. જિનવચનોને જ યથાર્થ માનવાં. જિનવચનો દ્વારા જ જીવનની મૂંઝવણોને ઉકેલવા પ્રયત્ન કરવો. નહીં રહે કોઈ ભય, નહીં રહે કોઈ ચિંતા, શ્રી સમરાદિત્ય મહાકથા 380 For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy