SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { $35) રાજકુમારનું નામ ‘આનંદ’ પાડવામાં આવ્યું. ધાવમાતા લલિતા, અલગ મહેલમાં કુમારને ઉછેરે છે. મહારાજા પ્રતિદિન એ મહેલમાં જાય છે અને કુમારને ખૂબ પ્રેમ કરે છે. કુસુમાવલી “આનંદ” થી સાવ અલિપ્ત રહે છે. આનંદને બાલ્યાવસ્થાથી શિક્ષણ આપવામાં આવે છે. તરુણ વયમાં તેને શસ્ત્રકળા અને યુદ્ધકળાની તાલીમ આપવામાં આવે છે... એક બાજુએ મોટો થતો જાય છે. બીજી બાજુ મહારાજા પ્રત્યે, કોઈ કારણ વિના એના હૃદયમાં રોષ વધતો જાય છે કેષ વધર્તા જાય છે. “અગ્નિશમના જન્મના વેરના સંસ્કારો જાગ્રત થતા જાય છે. આનંદ થીવનમાં પ્રવેશ કરે છે. અવારનવાર તે મહારાજાનો તિરસ્કાર કરે છે. મહારાજાની એકેય સારી વાત માનતો નથી. તેની ઉદ્ધતાઈ વધતી જાય છે. તેની સ્વચ્છંદતા વધતી જાય છે. મહારાજાના અગાધ પ્રેમનો જવાબ એ ઘોર અવગણનાથી આપે છે. મહારાજાને આનંદ ગમે છે. આનંદને મહારાજા ગમતા નથી! ક્યારેક મહારાજા વિચારે છે : “આનંદનું આવું અયોગ્ય, અવિચારી વર્તન ખરેખર એના પૂર્વજન્મનાં કર્મોને લીધે છે. સંસારમાં કર્મો જ જીવને ઉચિત-અનુચિત કરવા પ્રેરે છે... પૂર્વજન્મોનો એનો અને મારો કોઈ એવો જ સંબંધ ચાલ્યો આવે છે... ખેર, છેવટે એ જ મારા રાજસિંહાસનનો ઉત્તરાધિકારી છે. આ રાજ્યનો એ જ રાજા બનવાનો છે... એને હું “યુવરાજ' પદે સ્થાપિત કરું તો? એ માટે મારે મહામંત્રી, સેનાપતિ વગેરેના અભિપ્રાય જાણવા જોઈએ. કુસુમાવલીને પણ પૂછી જોઈશ. જો કે એ તો કુમારનું નામ સાંભળવાય રાજી નથી. તે છતાં પૂછી તો જોઈશ! મહારાજાએ પોતાના મંત્રણાખંડમાં રાજ્યના પ્રમુખ પદાધિકારીઓને આમંચ્યા. આમંત્રિતો સમયસર આવી ગયા. મહારાજાએ વાત પ્રસ્તુત કરી. મારા રાજ્યને વફાદાર એવા તમને બોલાવવાનું કારણ એ જ છે કે રાજકુમાર આનંદને યુવરાજ-પદે સ્થાપિત કરવાની મારી ઇચ્છા છે. તમારા સહુના અભિપ્રાય જાણવા તમને બોલાવ્યા છે. સર્વપ્રથમ હું મહામંત્રીનો અભિપ્રાય જાણવા ઇચ્છું છું.' મહામંત્રીએ ઊભા થઈ, મહારાજાને પ્રણામ કરી પોતાનું વક્તવ્ય શરૂ કર્યું : મહારાજા, કુમારને યુવરાજ-પદે ગમે ત્યારે ચ્છાપિત તો કરવા જ પડશે... પરંતુ શ્રી સમરાદિત્ય મહાકથા 30: For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy