SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ જ્યારે મદનરેખા કુસુમાવલી પાસે પહોંચી ત્યારે પુષ્પલતા ત્યાં ઔષધ લઈને આવી ગઈ હતી. તે મદનરેખાની જ રાહ જોતી હતી. તેણે મદનરેખાને પૂછ્યું : ‘સેનાપતિજી સાથે વાત થઈ ગઈ?' Acharya Shri Kailassagarsuri Gyanmandir થઈ ગઈ. નિશ્ચિંત બનીને કામ કરો.’ પુષ્પલતાએ કુસુમાવલીને ઔષધ આપ્યું. પ્રવાહી ઔષધ હતું. કુસુમાવલી પી ગઈ. ‘આ રીતે રોજ બે સમય ઔષધ લેવાનું છે. સાતમા દિવસે કામ પતી જશે....' ‘બહુ સારું થઈ જાય... મારું મન નિષ્પાપ બની જાય... મહારાજા પ્રત્યેનો અભાવ દૂર થઈ જાય...’ થઈ જશે મહાદેવી, હવે માત્ર સાત દિવસ ધીરજ રાખો.’ ‘માતાજી, તમે મારા માટે કેટલું કષ્ટ ઉઠાવો છો? અને આ મદનરેખા....? મારી સગી બહેન પણ આટલું હેત ના રાખે..' 'બસ, બસ! અમારી બહુ પ્રશંસા ના કરો મહારાણીજી... નહીંતર અમે ફુલાઈ જઈશું.' ‘આપણી આ વાત અત્યંત ગુપ્ત રાખજો. આ ખંડની બહાર વાત ના જવી જોઈએ...’ ‘આપ જરાય ચિંતા ના કરો મહાદેવી... નિશ્ચિંત રહો.' ઔષધોપચાર શરૂ થઈ ગયા. રોજ નિયમિત બે વખત ઔષધ લેવામાં આવ્યું... સાત દિવસ પૂરા થઈ ગયા... પરંતુ કાર્યસિદ્ધિ ના થઈ! ગર્ભસ્થ જીવ પ્રબળ આયુષ્યકર્મ લઈને આવ્યો હતો... તેનું મૃત્યુ કેવી રીતે થાય? ન જ થયું મૃત્યુ, પરંતુ કુસુમાવલીના શરીર પર એની અવળી અસર પડી. 309 કુસુમાવલીના શરીર પર શ્યામતા આવી અને કૃશતા આવી. ઉપાય કારગત ન થવાથી રાણી શોકસાગરમાં ડૂબી ગઈ. તેણે પુષ્પલતાને કહ્યું : ‘શું એવું પ્રબળ ઔષધ નથી બીજું કોઈ?’ ‘દેવી, આપના શરીર પર ઊંધી અસર થાય, એવું ઔષધ ના અપાય. છતાં થોડી અસર તો થઈ જ ગઈ છે...’ ‘પરંતુ મારી પેલી પાપેચ્છા મને ખૂબ સતાવે છે... મને ઊંઘ પણ નથી આવતી... ભાગ-૧ * ભવ બીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy