SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગયા હતા. કુસુમાવલીની પ્રતીક્ષામાં બેઠા હતા. કુસુમાવલી સાથે પ્રભાતિક વાર્તાલાપ કર્યોથોડોક સમય વીત્યો કે કુસુમાવલીએ કહ્યું : “નાથ, હું બહાર જાઉં છું. મને ખાટા-ખાટા ઓડકાર આવે છે. વમન થવાનું લાગે છે....”તે ત્વરાથી બહાર ચાલી ગઈ. બહાર એની અંગત દાસી પ્રિયંકરા ઊભેલી હતી. “પ્રિયંકરા, મને વમન થાય છે. તું ભાજન લાવ. ને પ્રિયંકરાએ ભાજન ધર્યું... કુસુમાવલીને ખૂબ વમન થયું. મહારાજા પાછળ આવીને ઊભા રહી ગયા હતા. ધાવમાતા પુષ્પલતા પણ આવી ગઈ હતી.. ધાવમાતાએ રાણીની પીઠ પર, છાતી પર હાથ પસવારવા માંડ્યો. કુસુમાવલી હાંફતી હતી. તેની આંખોમાંથી પાણી વહેતું હતું.... નાક ઝરતું હતું. પ્રિયંકરાએ સ્વચ્છ વસ્ત્ર રાણીને આપ્યું. તેણે આંખો... નાક.. મુખ લૂછીને સાફ કર્યાં મહારાજાના હાથનો સહારો લઈ એ શયનખંડમાં આવી, પલંગ પર સૂઈ ગઈ. ધાવમાતા એની પાસે આવીને બેઠી. રાણી કંઈક સ્વસ્થ થઈ એટલે ધાવમાતાએ પૂછ્યું : ‘દેવી, શું થાય છે તમને?' “મને ખાટા ઓડકાર આવે છે. વમનની શંકા રહે છે...' કારણ? કંઈ ખાવા-પીવામાં...' ના, મને લાગે છે કે હું ગર્ભવતી બની છું! ‘ઉત્તમ! તો આવું બધું થાય. હમણાં જ હું ઓષધ આપું છું. ઓડકાર બંધ થઈ જશે... વમન બંધ થઈ જશે...” પાસે જ ઊભેલા મહારાજાએ રાણીની વાત સાંભળી. એમના મુખ ઉપર ઉમંગની ચમક આવી ગઈ. તેમણે રાણી સામે જોયું... રાણીએ રાજા સામે જોયું... દૃષ્ટિ મળી... પરંતુ રાણીની આંખોમાં ચમક ન હતી... ઘેરી વેદના હતી. પરંતુ એ વેદનાનું સાચું કારણ રાજા ન સમજી શક્યા. તેમણે વિચાર્યું - “વમન ખૂબ થવાથી તેને પીડા થાય છે. તેઓ બોલ્યા : દેવી, કુળદેવતાની પૂજા ફળી!' રાણીએ કોઈ પ્રતિભાવ ના આપ્યો. ૦ ૦ ૦. અગ્નિશમ! જેણે ઘોર તપશ્ચર્યા કરી હતી... જીવનના પ્રાંત ભાગે જેણે નિયાણું કર્યું હતું : “હું જન્મોજન્મ રાજા ગુણસેનના જીવને મારનારો બનું.. મારી તપશ્ચર્યાનું મને આ ફળ મળે!' તેનું આયુષ્ય પૂર્ણ થતાં તે વિઘુકુમાર' નામની દેવયોનિમાં દેવ થયો હતો.... દેવ થઈને તેણે ધ્યાનસ્થ રહેલા રાજા ગુણસેન ઉપર તીવ્ર વૈરભાવનાથી, અગ્નિ-રેતા વરસાવીને રાજાને સળગાવી દીધા હતા. દેવલોકનું એનું આયુષ્ય પૂર્ણ થતાં, તે પશુયોનિમાં જન્મ્યો. પશિયોનિમાં અનેક ભવ કર્યા. પછી પક્ષીની યોનિમાં અનેક ભવ કર્યા. અને એ જ જીવ.. મહારાણી ભાગ-૧ ૩ ભવ બીજો ૨૯૪ For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy