SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “શું આપણી ઇચ્છા ફળશે ને? આપને શું લાગે છે?” મને લાગે છે કે જરૂર આપણી ઇચ્છા ફળશે... કહો, આપણી કઈ ઇચ્છા નથી ફળી?” “અને જો આપણી ઇચ્છા ફળશે તો આપણા એ પુત્રરત્નને સર્વ પ્રથમ તીર્થંકર ભગવંતનાં દર્શન કરાવીશ. તેઓ જ્યાં વિચરતા હશે.... ત્યાં જઈશું!' અવશ્ય દેવી, તીર્થંકરનાં દર્શન કરીને પછી આપણે માતાજી-સાધ્વી અને પિતાજીમુનિરાજના દર્શન કરવા જઈશું!' “અરે હા, જરૂર... જરૂર જઈશું. માતા-સાધ્વીજી પુત્રને જોઈને ખૂબ પ્રસન્ન થશે!' ના, નહીં થાય!” કેમ? કારણ કે તેઓ નિઃસંગ અને વિરાગી છે! ન થાય રાજી, ના થાય નારાજ! એ તો આવી બધી સાંસારિક વાતોમાં મધ્યસ્થ જ રહે!' પણ આશીર્વાદ તો આપે ને?' આપે.. પણ વત્સ, મોટો થઈને સાધુ બન” એવા આશીર્વાદ આપી ને સિંહરાજા ખડખડાટ હસી પડ્યા. કુસુમાવલી શરમાઈ ગઈ. પરંતુ સિંહરાજાના આ વાર્તાલાપથી એના મુખ પરથી પીળાશ જતી રહી, રતાશ આવી ગઈ, આંખોમાંથી ઉદાસી દૂર થઈ ગઈ... તેજસ્વિતા આવી ગઈ. શરીરમાંથી નિરાશા દૂર થઈ ગઈ, ફૂર્તિ આવી ગઈ. કુસુમાવલીએ અનુભવ્યું કે - “મહારાજા પણ મારા જેવી જ ઇચ્છા ધરાવે છે... અને ઇચ્છા સફળ થશે. એવી શ્રદ્ધા ધરાવે છે...” બસ, એનો ઉલ્લાસ ઉમંગ. ઉત્સાહ પૂર્વવત્ આવી ગયો. સિહરાજા એ જોઈ રહ્યા હતા. બધી મનની વાતો! મનના મનોરથો! મનુષ્યનું જીવન આ વાતો સાથે સંબદ્ધ છે. આ વાતની અવગણના ના કરી શકાય. કુસુમાવલી નિદ્રાધીન થઈ... એના મુખ પર શાન્તિ હતી... એક મધુર સ્મિત હતું. સંભવતઃ એ એના સ્વપ્નલોકમાં એના નવજાત શિશુ સાથે પ્રેમ કરતી હતી! એક જ સાંક ૨૨ ભાગ-૧ ૪ ભવ બીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy