SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાશ થઈ ગયો હોય.. અથવા દુ:ખો સહન કરવાથી કર્મોની નિર્જરા થઈ ગઈ હોય... તો તેઓ સદ્ગતિ પામે. મનુષ્ય તો પુરુષાર્થ જ કરવો પડે છે. ધર્મ પુરુષાર્થથી તે સદ્ગતિ પામી શકે છે, નિર્વાણ પામી શકે છે! મુક્તિ પામી શકે છે.' ભગવંત, મુક્તિ શા માટે પામવાની?” કુસુમાવલીએ પૂછ્યું. સુખ માટે!' “સુખ તો અમારી પાસે અહીં છે જ. અપાર સુખો છે! દુઃખની તો છાયા પણ અમે જોઈ નથી!” કુસુમાવલીએ તર્ક કર્યો. ‘દેવી, તમે જે સુખની વાત કરું છું, તે સુખો વૈષયિક છે. વૈષયિક સુખો ક્ષણિક હોય છે...' ‘ભગવંત, અમે એ સુખો લાખો વર્ષોથી ભોગવી રહ્યાં છે.. પછી એ ક્ષણિક કેવી રીતે?” ક્ષણિક એટલે એક કાળે સમાપ્ત થનારાં! લાખો કરોડ વર્ષો પછી પણ એ સુખો નાશ પામે છે. એટલે કે સુખોનો વિયોગ થાય છે. જ્યારે મુક્તિમાં જે સુખો છે તે શાશ્વત છે.. અનંત છે!” ભલે વૈષયિક સુખો નાશવંત છે, પરંતુ જીવનપર્યત ટકે તો છે ને?' “ના, એ સુખોને ટકવાનો, નહીં ટકવાનો આધાર એ જીવનમાં પોતાનાં પુણ્યકર્મો હોય છે. જ્યાં સુધી આત્મામાં પુણ્યકર્મો હોય ત્યાં સુધી જ સુખ ટકેએ પુણ્યકર્મ નાશ પામે એટલે વૈષયિક સુખો ચાલ્યાં જાય!' “એટલે એ “પુણ્યકર્મ' મનુષ્ય પાસે જીવનપર્યત ના ટકે ભગવંત?” “ના, ટકેય ખરું, ને પણ ટકે! જીવનકાળ દરમિયાન એ ગમે ત્યારે સમાપ્ત થઈ શકે! પછી જીવનમાં દુઃખોનો પ્રારંભ થાય....” એ દુઃખ ક્યાં સુધી રહે જીવનમાં?” જ્યાં સુધી એ દુઃખોનાં કારણભૂત પાપકર્મ આત્મામાં રહે ત્યાં સુધી!' કુસુમાવલી મૌન થઈ ગઈ. ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગઈ. સિંહકુમારે વાતનું અનુસંધાન કરતાં પૂછ્યું : ગુરુદેવ, જેમ પાપકર્મના ઉદયથી દુઃખો ભોગવવાં જ પડે છે, તેમ પુણ્યકર્મના ઉદયથી મળતાં સુખ ભોગવવાં જ પડે ને?' “ભોગવવાં પડે અને ના પણ ભોગવવાં પડે! કેટલાંક પુણ્યકર્મ ભોગવવાં જ પડે છે. પરંતુ જો સભાનપણે ભોગવે. તો નવાં પાપકર્મ નથી બંધાતાં.' સભાનપણે એટલે?' અનાસક્ત ભાવે! આસક્તિથી લેપાયા વિના!” ૨૭૨ ભાગ-૧ ૪ ભવ બીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy