SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્યારેય દુર્જનોનાં કારસ્થાનો જોયાં નથી... અને આપ વાઈકાલે એવી કથા સાંભળી આવ્યા.. કે' “સાચે જ દેવી, તે પણ સાંભળે ને તો તારું કાળજું કંપી ઊઠે.. હા, આચાર્ય અમરગુપ્તની સાત-સાત જન્મોની સમતા અને સરળતા ઉપર હૈયું ઓવારી જાય, એવી કથા છે. દુષ્ટ, માયાવી અને હિંસક સ્નેહી.. મિત્ર અને પતિ-પત્ની એમને મળતાં રહ્યાં. સાથે જન્મોમાં... છતાં એ સમતાશીલ રહ્યા, સરળ રહ્યા અને ધર્મનિષ્ઠ રહ્યા.' ભલે, સૂર્ય ઊંચો આવી ગયો છે, હવે પ્રભાતિક કાર્યોથી પરવારીને રાજસભામાં જવાનું છે.' ના, આજે હું રાજસભામાં નહીં જાઉં... આજે પણ મારે આચાર્યદેવ પાસે જવું છે... મારા મનમાં જે પ્રશ્નો ઉદ્દભવ્યા છે, એ પૂછવા છે, સમાધાન મેળવવું છે...' કસમાવલીએ ક્ષણભર વિચારીને કહ્યું : આપની સાથે હું પણ આજે આવું? જો આપની આજ્ઞા હોય તો..' “અવશ્ય, મારા પ્રશ્નો અને ગુરુદેવના ઉત્તરો સાંભળતાં તને આનંદ થશે. બાકી, એ ચિંતાથી જો આવતી હોય કે હું તને છોડીને ગૃહવાસ ત્યજીને સાધુ બની જઈશ..' તો ના આવીશ! હું તને કહું છું ને કે તારો ત્યાગ કરવો મારા માટે.... અશક્ય છે...” કસમાવલી હસી પડી, જાણે છોડ પરથી ફૂલ ખરી પડ્યાં. ૦ ૦ ૦. સિંહકુમાર અને કુસુમાવલી નાગદેવ ઉદ્યાનની બહાર રથમાંથી ઊતરી ગયાં. તેઓ ચાલતાં-ચાલતાં, જ્યાં આચાર્યશ્રી ધર્મઘોષ બિરાજતા હતા ત્યાં ગયાં. આચાર્ય પોતાના દૈનિક ક્રિયાકલાપોથી મુક્ત થઈને બેઠા હતા. કુસમાવલીએ પહેલી જ વાર આચાર્યદેવનાં દર્શન કર્યા. આચાર્યદેવના તેજ, પ્રતાપ અને પ્રભાવથી કુસુમાવલી પ્રભાવિત થઈ. રૂપ અને યૌવન હતું. છતાં સંયમ અને પ્રસન્નતાથી વ્યક્તિત્વ નિરાળું હતું. બંનેએ ભાવપૂર્વક વંદના કરી. આચાર્યું “ધર્મલાભ બોલી આશીર્વાદ આપ્યા. બંને વિનયપૂર્વક આચાર્યની સમક્ષ બેઠાં. કુમારે બે હાથ જોડી, મસ્તકે અંજલિ જોડી, વાતનો પ્રારંભ કર્યો. તે બોલ્યો : “ભગવનું, ગઈકાલે આપે આપના વરાગ્યનું કારણ બતાવ્યું. આવી સત્ય ઘટના સાંભળ્યા પછી સરળ અને ભાવુક મનુષ્ય સંસાર સુખો પ્રત્યે વિરક્ત બને છે, એમાં શંકા નથી. આપ વિરક્ત બન્યા અને ત્યાગી પણ બન્યા. આપના વૈરાગ્યે આપનામાં ત્યાગ કરવાની શક્તિનો સંચાર કર્યો. ૨૭૦ ભાગ-૧ % ભવ બીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy