SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપીને, પોતાના સ્નેહીઓને સુરક્ષિત લઈ આવ્યા હતા. ભીલોને તો પૈસા જોઈએ છે. માટે, જ્યારે એ ભીલો એમની પલ્લીમાં પહોંચી જાય ત્યારે તું ત્યાં જજે અને ભીલો માગે એટલું ધન આપીને તારી પત્નીને છોડાવજે.” મને દેવશર્મા દેવદૂત જેવા લાગ્યા. મેં તેમને પ્રણામ કર્યા, તેમણે મારા માથે હાથ મૂક્યો.. અને ચાલ્યા ગયા. મારું મન સ્વસ્થ બન્યું. મેં અધન્યને કહ્યું : આપણે તપાસ કરતા રહેવાનું કે ભીલો એમની પલ્લીમાં ક્યારે પહોંચે છે. એ પહોંચે પછી આપણે ચન્દ્રકાન્તાને છોડાવવા જવાનું છે...' અધન્ય કહ્યું : “એ ભીલો ચન્દ્રકાન્તાને નહીં છોડે તો?' મેં કહ્યું : “એ માગે એટલું ધન આપીશું, એટલે એ ચંન્દ્રકાન્તાને છોડી દેશે, આપણને સોંપી દેશે. તે લોકો સ્ત્રીઓનો શીલભંગ નથી કરતા.' અધન્ય કહ્યું : “પણ ધન તો બધું એ લોકો લુંટી ગયા છે... હવે એ લોકો માગે એટલું ધન તું ક્યાંથી લાવીશ?' મેં કહ્યું : “છે મારી પાસે ધન. જમીનમાં દાટેલાં રત્નો સુરક્ષિત છે. એક-એક રત્નો સુરક્ષિત છે. એક-એક રત્ન લાખ-લાખ રૂપિયાનું છે... આપણે રત્નો સાથે લઈને જઈશું. અન્યની આંખો પહોળી થઈ ગઈ. મારાં રત્નો બચી ગયાં, એ વાત એને ના ગમી. છતાં તેણે મારી સાથે આવવાની હા પાડી. હા પાડવામાં પણ તેની ચાલ હતી. તેના હૃદયમાં ચન્દ્રકાન્તાના થયેલા અપહરણનું કે ઘરમાંથી લૂંટાયેલી સંપત્તિ અંગે જરાય દુ:ખ ન હતું. થોડા દિવસો પસાર થયા. નગરમાં સમાચાર આવ્યા કે “ભીલ સેનાપતિ એની પલ્લીમાં પહોંચી ગયો છે.” મેં જવાની તૈયારી કરી. રસ્તામાં ખાવા માટે ભાતું તૈયાર કરાવ્યું. એક થેલીમાં ભાતું ભર્યું અને બીજી થેલીમાં રત્ન ભર્યા. બંને થેલી સમાન રૂપની અને સમાન ઘાટની હતી. અધન્યની સાથે રવાના થયો. એક થેલી એને આપી, બીજી થેલી મેં ઉપાડી. ભાતાની થેલી ભારે હતી, રત્નોની થેલીમાં વજન ઓછું હતું. વારાફરતી અમે થેલી બદલતા અને ચાલતા જતા હતા. છે મારા મનમાં ચંન્દ્રકાન્તાને મુક્ત કરવાના વિચારો ચાલતા હતા. * અધન્યના મનમાં રત્નોની થેલી પચાવી પાડવાનો વિચાર ચાલતા હતા પણ મને એના પર વિશ્વાસ હતો, એટલે જ એને મેં સાથે લીધો હતો. મેં અધન્યને કહ્યું : “મિત્ર આપણે ભીલોના ગામમાં જઈએ છીએ. ખૂબ સાવધાન રહેવું પડશે. એવું ના બને કે રત્નો તે લઈ લે અને ચન્દ્રકાન્તા સોંપે નહીં..' ૪૨ ભાગ-૧ ૪ ભવ બીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy