SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજાએ યજ્ઞદત્તને જોયો. એનું માથું શરમથી નમી પડેલું હતું. મહારાજાનો રોષ ભભૂકી ઉઠ્યો ત્યાં ને ત્યાં જ ઊભા ઊભા તેમણે આજ્ઞા કરી : “આ દુષ્ટની જીભ કાપી નાંખો.... અને બંને આંખો બહાર ખેંચી કાઢો..” યજ્ઞદત્ત ગભરાઈ ગયો... દીન-હીન નજરે તેણે મારા સામે જોયું. મહારાજાએ ફટકારેલી સજાથી હું હચમચી ગયો. હું મહારાજાના પગમાં પડી ગયો. આજીજી કરી : “હે દેવ, એને ક્ષમા આપો... એના અપરાધને માફ કરો... એને છોડી દો.' મહારાજાએ મને કહ્યું : “ચક્રદેવ, તું આ ઠીક નથી કરતો. આવો મિત્રમોહ કામનો નથી. આ દુરાચારી છે, અધમ છે, દુષ્ટ છે. એને ક્ષમા ના અપાય, સજા જ આપવી જોઈએ. આવા દુર્જનો ક્ષમા આપવાથી વધારે અપરાધ કરે છે. પ્રજાને વધુ રંજાડે છે. માટે હવે તું બાજુએ રહે... હું એની જીવતા જીવે ચામડી ઉતરડાવી લઈશ...” રોષથી ધમધમતા રાજાએ યજ્ઞદત્તના મોઢા પર સજ્જડ મુક્કો મારી દીધો. યજ્ઞદત્ત ભૂમિ પર ઢળી પડ્યો કે મહારાજાએ લાત ઉગામી... પણ હું વચ્ચે આવી ગયો. મેં જળ નયને પ્રાર્થના કરી : પ્રભો, જો આપને મારા પર સ્નેહ છે.. પ્રેમ છે... તો મારી આટલી વિનંતી માનો. યજ્ઞદત્તને છોડી દો...” મહારાજાએ મારી સામે જોયું. મારી આંસુભીની આંખો જોઈ તેમનો રોષ ઊતરી ગયો... કોટવાલને આજ્ઞા કરી. છોડી દો એ નરાધમને. સોંપી દો ચક્રદેવને. ચક્રદેવને જે કરવું હોય તે કરે. હું ચક્રદેવની વિનંતીને અવગણી શકતો નથી.' મહારાજા, આપની મહાન કૃપા થઈ...' કહ્યું. મહારાજાએ ઘણા જ સન્માન સાથે મારા ઘરે મને મોકલ્યો. યજ્ઞદત્તને મેં એના ધરે રવાના કરી દીધો હતો. નગરજનો મને અભિનંદન આપવા મારા ઘરે આવવા લાગ્યા... યજ્ઞદત્તની ચોરે ને ચૌટે નિંદા થવા લાગી. પરંતુ તે પછી મને નિંદા-પ્રશંસામાં કોઈ રસ રહ્યો ન હતો. હું યજ્ઞદત્તની આત્મસ્થિતિનું ચિંતન કરતો રહ્યો. “કર્મવશ જીવોની. પરિણતિ કેવી હોય છે? સાચે જ કર્મ-પરિણતિ વિચિત્ર હોય છે. જીવોનાં મન પારખી શકાતાં નથી. હું યજ્ઞદત્ત ઉપર આંધળો રાગ કરતો રહ્યો. હું એને સારો મિત્ર માનતો રહ્યો... મેં સપનામાં ય એનું અહિત વિચાર્યું નથી... અને એણે ક્યારેય મારું હિત વિચાર્યું નથી! ખરેખર, એનાં કર્મોની પરિણતિએ જ એને ભાન ભુલાવ્યું...” મારું મન વૈરાગી બન્યું. સંસારનાં બધાં જ વૈષયિક સુખો અણગમતાં બની ગયાં. યજ્ઞદત્ત સાથેની દોસ્તીનો અંત આવી ગયો હતો. અલબત્ત, મારા મનમાં એના પ્રત્યતે ક્યારેય અણગમો ના જભ્યો! રોષ ના જમ્યો! એ જ અરસામાં, મારા પુણ્યના ઉદયથી નગરના બાહ્ય ઉદ્યાનમાં ‘અગ્નિભૂતિ' ભાગ-૧ ૪ ભવ બીજો 3g For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy