SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસમાર પહાડ ઉપર હું મારી પ૦૦ પ્રિયાઓ સાથે આનંદ-ક્રિીડા કરતો હતો.... ત્યાં ઊડતો ઊડતો પેલો પોપટ પણ એની પ્રિયા સાથે પહાડ ઉપર આવી લાગ્યો. એક વૃક્ષ પર એ બેઠો... ચારે બાજુ એ નજર ફેરવે છે. એણે અમારા સમૂહને જોયો. અમારા સમૂહમાં સહુથી ઊંચો અને પહાડ જેવી કાયાવાળો હું હતો. એણે મને જોયો. જોતો જ રહ્યો.. અને પૂર્વજન્મના (રુદ્રદેવના જન્મના) કષાયો જાગ્રત થવા લાગ્યા.... અલબતું, એને પૂર્વજન્મની સ્મૃતિ નહોતી થઈ આવી, પરંતુ અવ્યક્ત સંસ્કારો જાગ્રત થયા. રુદ્રદેવના ભવમાં એણે મારા પ્રત્યે ઠાંસી-ઠાંસીને રોષ એના આત્મામાં ભર્યો હતો ને! નિમિત્ત મળતાં એ રોષ જાગવા માંડ્યો. હું નિમિત્ત બની ગયો હતો. પહેલાં તો એના મનમાં મારા ભોગસુખની ઇર્ષા જાગી. પ00 ૫00 હાથણીઓ સાથેની મારી ક્રીડા જોઈને, હાથણીઓનો મારા ઉપરનો અગાધ પ્રેમ જોઈને તે ઇર્ષ્યાથી બળવા લાગ્યો. એના મનમાં દુષ્ટ વિચાર આવ્યો : “આ હાથીનું સુખ મારાથી જોવાતું નથી. કોઈ યુક્તિ કરીને મારી નાંખું!” સીધી રીતે તો એ મને મારી શકે એમ ન હતો. ક્યારેક એને મારો ભય પણ લાગતો હતો. એટલે એ નજીકના વૃક્ષ પર બેસતો ન હતો. દૂરના વૃક્ષ પર બેસતો અને અમારી તોફાન-મસ્તી જોયા કરતો. રોજ પહાડ પર આવતો... ને રોજ મારા પ્રત્યે એનો રોષ વધતો જતો. એ પોપટ જાણે કે પોતાની સેનાને તો ભૂલી જ ગયો હતો. એનો ઇર્ષાભાવ, એને મળેલા ભોગસુખને પણ ભોગવવા દેતો ન હતો. ઇર્ષાળુ જીવોની આ જ કરુણ સ્થિતિ હોય છે. દિનરાત પોપટ મને મારી નાંખવાના વિચારો કરતો હતો. હું મને મળેલાં ભોગસુખો ના ભોગવી શકું... તો જ એના જીવને શાંતિ મળે, એમ એ માનતો હતો. જો કે કોઈને મારી નાખવાનું કે કોઈને જિવાડવાનું કોઈના હાથની વાત નથી હોતી. દરેક જીવ પોતપોતાના કર્મોદયના આધારે જીવે છે અને મરે છે. કદાચ કોઈ જીવ એમાં નિમિત્ત બની જાય, એ જુદી વાત છે. ૦ ૦ ૦ મારા મૃત્યુમાં ક્યાં અને કેવી રીતે નિમિત્ત જન્મે છે – એ પણ રોચક વાત છે. વૈતાઢ્ય પર્વત ઉપર વિદ્યાધરોનાં નગર છે. વિદ્યાધરો મનુષ્ય હોય છે, પરંતુ તેમની પાસે વિશિષ્ટ કોટિની વિદ્યાશક્તિઓ હોવાથી આકાશમાર્ગે ગમનાગમન કરી શકે છે. ધારે તેવાં રૂપ કરી શકે છે... અને ઇચ્છા મુજબ કાર્યસિદ્ધિ પણ કરી શકે છે. બાકી, ગુણદોષ તો જેવા આપણામાં હોય છે તેવા એમનામાં હોય છે. લીલારતિ’ નામના વિદ્યાધરે, મૃગાંકસેન વિદ્યાધરની બહેન ચંદ્રલેખાનું અપહરણ કર્યું. જો કે “લીલારતિ' કરતાં મૃગાંકન વધારે શક્તિમાન હતો, પરંતુ પ્રેમ-વાસના ૨૨૦ ભાગ-૧ ૪ ભવ બીજો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy