SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારા પતિ રુદ્રદેવનો મને ખૂબ પ્રેમ મળવા લાગ્યો. તેઓ મને સાચા હૃદયથી ચાહતા હતા. મને પણ મારા પતિ ગમતા હતા. અમે વૈષયિક સુખોને ભોગવતા જીવન-કાળ પસાર કરી રહ્યાં હતાં. મારાં સાસુ-સસરા મારા પર ખૂબ હેત વરસાવતાં હતાં. મને પુત્રીવતું માનતાં હતાં. મને કોઈ વાતનું દુઃખ ન હતું. એક દિવસની વાત છે. હું સાસરેથી મારા પિયર જતી હતી. માર્ગમાં મેં ઘણાં સાધ્વીઓનું વૃંદ વિહાર કરીને ચંપાવાસમાં પ્રવેશતું જોયું. તે સાધ્વીઓનાં દર્શનથી મને ઘણો આલાદ થયો. મેં બે હાથ જોડી મસ્તક નમાવી તેમને વંદના કરી. મારા સમગ્ર શરીરમાં રોમાંચ થઈ આવ્યો. મારી આંખો વિકસ્વર થઈ ગઈ. મેં, સહુની આગળ ચાલતાં સાધ્વીજીને વિનયપૂર્વક પૂછ્યું : “આપ ક્યાં પધારશો ને ક્યાં સ્થિરતા કરશો?' તેઓએ મને "ધર્મલાભનો આશીર્વાદ આપ્યો અને જે સ્થાનમાં તેઓ રોકાવાના હતાં, તે સ્થાનનું નામ આપ્યું. મેં એ સ્થાન જોયેલું હતું. મેં તેઓને કહ્યું : “મારું નામ સોમા, હું આપનાં દર્શન-વંદન કરવા આપની પાસે આવીશ.” - સાધ્વીજી એમના મુકામ તરફ ચાલ્યાં ગયાં, હું મારા પિયર ચાલી ગઈ. મારા મન પર તેઓની છાયા અંકિત થઈ ગઈ. તેમની મુખાકૃતિ મારી કલ્પનામાં સ્થિર થઈ ગઈ. પ્રથમ દર્શને જ મારા મનને તેઓએ આકર્ષી લીધું. હું મારા પિયરથી સાસરે આવી ગઈ. ઘરનાં કાર્યો પતાવીને હું સાધ્વીજી પાસે જવા લાગી. સાધ્વીજી મને તીર્થંકરભાપિત ધર્મનો બોધ આપવા લાગ્યાં. તેઓએ મને સર્વપ્રથમ ચાર ગતિનું સ્વરૂપ સમજાવ્યું. આત્મા અને કર્મનો અનાદિ-સંબંધ સમજાવ્યા. કર્મોના કારણે જીવ કેવા-કેવાં પુણ્ય-પાપ આચરે છે, એના પરિણામે ચાર ગતિઓમાં કેવું પરિભ્રમણ કરે છે, કેવા-કેવાં સુખ-દુઃખ અનુભવે છે... આ બધું સમજાવ્યું. તેમના પ્રત્યે મારા હૃદયમાં અત્યંત ભક્તિ અને પ્રીતિ જાગી ગઈ. હું વધારે સમય એમની પાસે રહેવા લાગી. મારા પતિ મને પૂછવા લાગ્યા : ‘તું ક્યાં અને કોની પાસે જાય છે?” હું તેમને કહેતી : “મહાવ્રતોને ધારણ કરનારી, નિષ્કારણવત્સલ અને જ્ઞાનદાન આપનારી સાધ્વીજીની પાસે જાઉં છું. તેઓ મને ખૂબ ગમી ગયાં છે. તેઓ મને સાચું જ્ઞાન આપે છે...' તેઓ મૌન રહેતા. મારી વાતને સાંભળી-નાસાંભળી કરી દેતા. મને લાગતું કે તેમને મારી વાત ગમી નથી. છતાં મારું મન તો સાધ્વીજી સાથે સ્નેહબંધનથી બંધાઈ ગયેલું હતું. હું રોજ મુજબ જતી જ રહી. સાધ્વીજીએ મને આ નાના-મોટા જીવો પ્રત્યે દયાળુ બનાવી. ભાગ-૧ ૪ ભવ બીજો અ૪ For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy