SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org રાજમહેલમાં આ મિત્રોની વિરુદ્ધ કોઈ ફરિયાદ સાંભળનાર નથી... નાહક આ દુષ્ટ પુરોહિતને મારશે... ને છેવટે મારા પુત્રને લઈ જ જશે. સોમદેવાએ ઓરડો ખોલી નાંખ્યો. તરુણ અગ્નિશર્મા, કૃષ્ણકાંતને જોઈને ધ્રૂજવા લાગ્યો. તેની ગોળ-ગોળ આંખો ચક૨-વકર થવા લાગી. તે સોમદેવાને વળગી પડ્યો... કરુણ સ્વરે રોવા લાગ્યો. Acharya Shri Kailassagarsuri Gyanmandir કૃષ્ણકાંતે એક પળનોય વિલંબ કર્યા વિના અગ્નિશર્માને પકડ્યો, ઉપાડ્યો... ખભા ઉપર નાંખીને ઘરની બહાર નીકળી ગયો... મહોલ્લાની બહાર એનો ઘોડો ઊભો હતો. અગ્નિશર્માને ઘોડા ઉપર નાંખી, તે ઘોડા પર બેસી, રાજમહેલ તરફ ઊપડી ગયો. સોમદેવા અને યજ્ઞદત્ત... બંને કરુણ રુદન કરવા લાગ્યાં. સોમદેવાએ યજ્ઞદત્તને કહ્યું : ‘નાથ આનાં કરતાં તો જમરાજ આવીને પુત્રને ઉપાડી જાય તો સારું, આ તો રોજ-રોજની પીડા છે... નથી સહન થતી આ પીડા...' ‘કોઈ ઉપાય જડતો નથી, કેવી રીતે પુત્રને આ ત્રાસથી બચાવવો?’ આંસુભરી આંખે યજ્ઞદત્તે આકાશ તરફ જોઈને કહ્યું. ‘સ્વયં રાજકુમાર પ્રજાને ત્રાસ આપે... રાજા એને રોકે નહીં... ક્યાં જઈને ફરિયાદ કરવી? અને પુત્રનો જીવ પૂર્વજન્મોમાં કેવાં પાપ કરીને આવ્યો છે ?' યજ્ઞદત્તે નિસાસો નાંખ્યો. ‘નાથ, પુત્ર પૂર્વજન્મનાં પાપ લઈને મારી કૂખે જન્મ્યો છે, એ વાત સાચી પણ આપણાંય પૂર્વજન્મનાં પાપ ખરાં ને? જેથી આવો કદરૂપો પુત્ર મળ્યો... અને સગી આંખે પુત્રને દુઃખી થતો જોવાનો...' ‘દેવી, ત્તારો, મારો અને પુત્રનો. ત્રણેનો પાપોદય છે. આપણાં કરેલાં પાપોની સજા ઈશ્વર કરે છે. ઈશ્વર જે કરે તે સાચું... માણસ કાંઈ કરી શકતો નથી. ઈશ્વરની ઇચ્છા વિના વૃક્ષનું એક પાંદડુંય હાલતું નથી.' ‘શું ઈશ્વર દયાળુ નથી? શું આપણા ઉપર એને દયા નહીં આવતી હોય? ઈશ્વરને આપણે કરુણાનિધાન કહીએ છીએ... અને તમે તો ત્રિકાળ ઈશ્વર-પ્રણિધાન કરો છો... એ સર્વશક્તિમાન ઈશ્વર... આ દુષ્ટોને... મારા પુત્ર પર ત્રાસ ગુજારનારાઓને કડક શિક્ષા કેમ નથી કરતો? શું એણે બનાવેલી સૃષ્ટિની રક્ષા ક૨વાનું એનું કર્તવ્ય નથી? મને રોજ ... રોજ આ વિચાર આવે છે... ને મારી ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ઘટતી જાય છે... રોજ તમને કહેવાની ઇચ્છા થતી હતી, પણ મન પાછું પડતું હતું. આજે વાત કહેવાઈ ગઈ... શું મારી વાત ખોટી છે?’ સોમદેવાએ યજ્ઞદત્તને પોતાના મનની વાત કહી દીધી. ४ યજ્ઞદત્ત વેદોનો શાતા અને કર્મકાંડી બ્રાહ્મણ હતો. ઈશ્વર પ્રત્યે તેની શ્રદ્ધા અગાધ અને અવિચલ હતી. સોમદેવાની વાતથી તેનું મન થોડું દુઃખી થયું... પરંતુ તેના ભાગ-૧ ૪ ભવ પહેલો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy