SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “આવ.' એક જ શબ્દનો જવાબ મળ્યો. મદનરેખા અંદર આવીને રાજકુમારીના પલંગ પર બેસી ગઈ. કુસુમાવલીના માથા પર હાથ ફેરવવા લાગી. કુસુમાવલી એક અક્ષર પણ બોલતી નથી. એની આંખો બંધ છે. બે-પાંચ મિનિટ મૌન રહીને મદનરેખાએ પૂછયું : કુસુમ, તારા મુખ પર આટલો બધો ઉદ્વેગ કેમ છે? મૌન. “શું વડીલવર્ગ તારા ઉપર પરિતુષ્ટ નથી? મૌન. શું કોઈ નોકરે તારો વિનય નથી કર્યો? મૌન. “શું કોઈ સખી તારાથી રિસાણી છે? મૌન! ‘તારી કોઈ ઇચ્છા પૂર્ણ નથી થઈ? તારે મને તો કહેવું પડશે કુસુમ.. તારી આ અસ્વસ્થતા... વિહ્વળતા. વેદના મારાથી સહન નથી થતી. તું મને તારા મનની વાત કર.” મદનરેખાનો સ્વર ભીનો થયો. તરત કુસુમાવલી પલંગમાં બેઠી થઈ ગઈ. બે હાથે પોતાના માથાના વાળ સરખા કરતી, કંઈક હસવાનો પ્રયત્ન કરતી બોલી : “તને ન કહેવા જેવું કંઈ પણ હોય ખરું મારા મનમાં?' છતાં મનની વાત તે ના કહી શકી, તેણે ખોટી-ખોટી વાત કરી : આજે ઉદ્યાનમાં ફૂલો તોડ્યાં. તેથી થાક લાગ્યો છે. તાવ જેવી કંઈક અસર લાગે છે. આ સિવાય ઉદ્વેગનું બીજું કોઈ કારણ નથી.” 'તો પછી હું તને આ પાન આપું છું. તું એને મોઢામાં મૂકી દે. પછી સૂઈ જા, હું તને પંખો નાખું... અસ્વસ્થતા દૂર થઈ જશે.' ના, ના, આવી મારી બેચેનીમાં તારા પાનબીડાથી શું વળે?' ‘તું જા આપણા કેળઘરમાં. ત્યાં ખૂબ શીતળતા હશે. ત્યાં મારા માટે પુષ્યશવ્યા તૈયાર કર. હું ત્યાં આવું છું.' ‘હમણાં જ તૈયાર કરું છું પુખશપ્યા.'મદનરેખા ત્વરાથી મહેલની પાછળ ચાલી ગઈ. ત્યાં કેળવૃક્ષોની ઘટામાં તેણે કમલપત્રોની શયા બનાવી દીધી. કુસુમાવલી આવીને પુષ્પશધ્યામાં પડી. મદનરેખાએ તેને પાન આપ્યું. તેના મુખમાં જ મૂકી દીધું. અને તેના બે હાથ પોતાના હાથમાં લઈને... ખૂબ જ આત્મીય ભાવથી કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy